Team Chabuk-Sports Desk: T20I વિશ્વકપમાં ભારતને પરાજય આપી સકંટ પેદા કરનારી ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ટોસ અને સાથે સાથે મેચ પણ હારી ગઈ હતી. ટીમે વિશ્વકપમાં બે મેચ ગુમાવ્યા, એક પાકિસ્તાન સામેનો અને બીજો મેચ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેનો. ન્યૂઝીલેન્ડના બોલર્સ પણ મેચમાં કંઈ ખાસ ઉકાળી નહોતા શક્યા અને ઓસ્ટ્રેલિયાની સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.
આજની મેચ પૂર્વે કેપ્ટન કેન વિલિયમસનને આરામ આપવામાં આવ્યો છે. જેથી તેઓ ટી ટ્વેન્ટી (T20I) બાદ થનારી ટેસ્ટ શ્રેણી માટે ખૂદને તૈયાર કરી શકે. અવિરત ક્રિકેટના થાકથી ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પણ પરેશાન છે. આઈપીએલ, વિશ્વકપ અને હવે ભારત સામેની શ્રેણી. કેનની અનુપસ્થિતિમાં ટીમ સાઉદીના હાથમાં ન્યૂઝીલેન્ડની કમાન હશે. સાઉદીની સાથે બોલિંગમાં બોલ્ટ તેમનો સાથ આપશે. બેટીંગમાં ડેરિલ મિશેલ જેવા ખેલાડીઓની હાજરી ન્યૂઝીલેન્ડને ખતરનાક બનાવી શકે છે.
ન્યૂઝીલેન્ડ એ ખેલાડીઓને પણ અવસર આપી શકે છે જેઓને યૂએઈમાં યોજાયેલા વિશ્વકપ દરમ્યાન ટીમમાં સ્થાન નથી મળ્યું. જેમાં જેમીસનનો પણ સમાવેશ થાય છે. જે ફક્ત અભ્યાસ મેચ રમ્યો હતો. આ વચ્ચે મેચમાં રોહિત અને સોઢીની વચ્ચે રસપ્રદ ટક્કર રહેવાની સંભવાના છે. ભારતીય કેપ્ટનને સ્પીનર્સ સામે રમવામાં અડચણ પડે છે. રોહિત સામે આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન્યૂઝીલેન્ડની ટીમ કરશે તેમાં બેમત નથી.
આમ તો ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે મેદાનમાં હુંફાળું વાતાવરણ રહેતું હોય છે. પરંતુ આજે ભારતની ટીમ ન્યૂઝીલેન્ડની સામે પ્રતિશોધના ઈરાદા સાથે ઉતરશે. આંકડાઓ ઉપર નજર નાખવામાં આવે તો ટી ટ્વેન્ટીમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે. 9 ટી ટ્વેન્ટી તે જીતી ચૂકી છે. ભારત 8 અને એકનું કોઈ પરિણામ નથી આવ્યું. ભારતની નજર શ્રેણી વિજય પર રહેશે. લાંબા સમય બાદ હોમગ્રાઊન્ડ હોવાથી ફાયદો પણ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
