ગોવાબાપાઃ ચાબુક આજે સૌથી પહેલાં વાત દેશની સુરક્ષાની. ગઈકાલે દિલ્હીમાં આવેલા ઇઝરાયેલના દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો. જ્યાં બ્લાસ્ટ થયો તેનાથી માત્ર 1.7 કિલોમીટર દૂર વિજય ચોક પર બીટિંગ રિટ્રીટ ચાલી રહી હતી. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના વીવીઆઈપી હાજર હતા. ચાબુક આ ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય. દેશની રાજધાની દિલ્હીમાં આવી ઘટના ઘટે એ દેશની સુરક્ષા પર સીધા સવાલો ઉભા કરે છે. હજુ તો 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી ઘટના ભૂલાય નથી ત્યાં આ બ્લાસ્ટની ઘટનાએ સરકાર સામે સુરક્ષાને લઈને સવાલ ઉભા કરી દીધા છે.
ઇઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા IED બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ-હિન્દ નામના સંગઠને માથે લીધી છે. બ્લાસ્ટ થયો ત્યાંથી એક ચીઠ્ઠી મળી હોવાની વાત સામે આવી છે અને આ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે હજુ તો આ ટ્રેલર છે. હાલ તો આ અંગે તપાસ એજન્સીઓ ખાખા ખોળા કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા મથી રહી છે. તપાસમાં ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ પણ જોડાઈ છે.
Delhi: Delhi Police Crime Branch and Forensic Science Laboratory (FSL) examine Red Fort area in connection with 26th January violence case. pic.twitter.com/aCoYQI3ccp
— ANI (@ANI) January 30, 2021
Delhi: A team of National Security Guard (NSG) visits the explosion site near the Israel Embassy to examine characteristics of explosives used.
— ANI (@ANI) January 30, 2021
A low-intensity explosion occurred near the Embassy yesterday. pic.twitter.com/RbY3W30J0f
કર્ફ્યૂ થયો હળવો
ચાબુક ગુજરાતના ચાર મહાનગરોમાં લાગેલો કર્ફ્યૂ તો ‘અતિથિ તુમ કબ જાઓગે’ ફિલ્મના પરેશ રાવલ જેવો છે હો.
‘કેમ ગોવા બાપા ?’
હટવાનું નામ જ નથી લેતો. દિવસો પસાર થતાં જાય છે તેમ કર્ફ્યૂ હળવો જરૂર થઈ રહ્યો છે. પરંતુ લોકો વિચારે છે કે સરકારે દિવાળી બાદ થોડાં દિવસનું કહીને કર્ફ્યૂ લગાવ્યો હતો, પરંતુ તેને ચિંગમની જેમ લાંબું લાંબું ખેંચતી ગઈ. આજે કર્ફ્યૂમાંથી વધુ થોડી રાહત સરકારે આપી છે ચાબુક. સરકારે જાહેરાત કરી કે રાજ્યના ચારેય મહાનગરોમાં હવે રાત્રિ કર્ફ્યૂ રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. એટલે કે એક કલાકની વધારાની છૂટછાટ. સાથે જ લગ્ન સમારોહમાં હવે 200 લોકોને બોલાવી શકાશે. આ નિયમો 15 ફેબ્રુઆરી સુધી લાગુ પડશે.
કર્ફ્યૂમાં મળેલી આશિંક રાહત બાદ જગમાલ મને ખુશખુશાલ થઈને કે’તો હતો કે ગોવાબાપા હવે ચાબુકની ઓફિસેથી રાત્રે છૂટીને સીધા મારી દુકાને ચા પીવા આવજો. દુકાન ખુલ્લી જ હશે. જગમાલની જેમ અનેક હોટેલ અને દુકાનોવાળાને આવી જ રાહત થઈ હશે હો ચાબુક..
‘પણ ગોવાબાપા લોકો તો એવીય વાતો કરે છે કે આ ચૂંટણી આવી રહી છે એટલે સરકાર નિયમો હળવા કરી રહી છે. ચૂંટણી પતશે એટલે પાછું જડબેસલાક..’
ચાબુક એ તો હવે ચૂંટણી પતે પછી ખબર પડે.. ત્યાં સુધી તો 11 વાગ્યા સુધી મોજ મોજ…
ખેડૂતોને વડાપ્રધાને શું કહ્યું?
બજેટસત્ર અંગે આજે સર્વપક્ષીય બેઠક મળી હતી. સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂત આંદોલન મુદ્દે બોલ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા હંમેશા તૈયાર છે. માહિતી તો એવી પણ મળી છે ચાબુક કે બેઠકમાં વડાપ્રધાને એમ પણ કહ્યું કે હું ખેડૂતોથી માત્ર એક ફોન કોલ દૂર છું. જો ખેડૂતો મને ફોન કરશે તો હું વાત કરવા તૈયાર છું.
55 વર્ષ ઉપરનાને ટિકિટ નહીં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા ભાજપે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગઈકાલે મળેલી ભાજપના વોર્ડ કક્ષાના હોદ્દેદારો અને આગેવાનોની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 55 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર અને સંગઠનમાં હોદ્દો મેળવનારને મનપાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળે.
‘નિર્ણય તો સારો કહેવાય હો ગોવાબાપા. યુવાનોને વધુ તક મળશે.’
એ વાત તો સાચી ચાબુક પણ જે કાર્યકર્તા 55 વર્ષ વટાવી ગયા છે અને હજુ એક પણ વખત ટિકિટ નથી મળી તેઓમાં નારાજગી હોવાની વાત સામે આવી છે. કેમ કે તેમની તો આટલા વર્ષોની મહેનત પાણીમાં ગઈ કહેવાય.
જે હોય એ ચાબુક હાલ, વિદાય લઈએ..
એ આવજો ગોવાબાપા..
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત