Team Chabuk-National Desk: PAN-Aadhaar લિંક કરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. કેંદ્ર સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. હવે કરદાતાઓ 30 જૂન 2023 સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી શકશે. ટૂંક સમયમાં સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડશે. આધાર-PAN લિંક કરવાની સમયમર્યાદા ભૂતકાળમાં ઘણી વખત લંબાવવામાં આવી છે. 31 માર્ચ, 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. 1 એપ્રિલ, 2022 થી 500 રૂપિયાની ફી લાદવામાં આવી હતી અને 1 જુલાઈ, 2022 થી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈમાં સંસદમાં શેર કરાયેલ સરકારી ડેટા અનુસાર, કુલ 61,73,16,313 (6.17 કરોડ) વ્યક્તિગત PANમાંથી, 46,70,66,691 (4.67 કરોડ) પાન-આધાર સાથે જોડાયેલા હતા.
અહીં જાણો આધાર-PAN લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા…
ઈન્કમ ટેક્સનું e-filing પોર્ટલ ખોલો. અહીં લિંક છે- https://incometaxindiaefiling.gov.in/
જો પહેલાથી રજિસ્ટર્ડ નથી તો નોંધણી કરો. તમારો પાન નંબર (Permanent Account Number) તમારું ID હશે.
હવે તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગિન કરો.
એક પોપ અપ વિન્ડો દેખાશે, જેના પર તમને PAN ને આધાર સાથે લિંક કરવા માટે કહેવામાં આવશે. જો તે ન આવે તો ‘પ્રોફાઈલ સેટિંગ્સ’માં જઈને ‘લિંક આધાર’ પર ક્લિક કરો.
હવે પાન પર દાખલ કરેલ જન્મ તારીખ અને લિંગની વિગતો અહીં પહેલેથી જ દેખાશે.
હવે આ વિગતોને તમારી આધાર વિગતો સાથે મેચ કરો. જો આ વિગતો બંને દસ્તાવેજોમાં મેળ ખાતી નથી, તો તમારે જે ખોટું છે તેને સુધારવું પડશે.
જો વિગતો મેળ ખાતી હોય, તો તમારો આધાર નંબર દાખલ કરો અને “હવે લિંક કરો” બટન પર ક્લિક કરો.
એક પોપ-અપ મેસેજ દેખાશે, જે તમને જણાવશે કે તમારું PAN આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે.
તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવા માટે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે, તમારે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈપણ વ્યક્તિએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી ફરજિયાત છે. જો આ બંને દસ્તાવેજો 31 માર્ચ સુધીમાં લિંક નહીં થાય તો તમારું પાન કાર્ડ નકામું થઈ જશે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ