Team Chabuk-Gujarat Desk: કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થયું છે. રાજયમાં નાના મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓને આ રસીકરણ છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ને રવિવારના રોજ રાજયભરમાં ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.
કોર કમિટીની બેઠક મળી
કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં આ વેક્સીનેશન કેમ્પના આયોજનને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના માર્ગદર્શન માં આખરી ઓપ આપવામાં આવ્યો છે
રસીકરણ માટે આયોજન
રાજયમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સીન લઇ લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ થઇ જાય તે હેતુસર તા.૨૫.૦૭.૨૦૨૧, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સિનેશન કેમ્પનું ૧૮૦૦ સેન્ટર ઉપર આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર તા.25 જૂલાઈ એ યોજાનારા આ વેક્સીનેશન કેમ્પનો મહત્તમ લાભ નાના મોટા વેપારી વર્ગો, સેવાકીય વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
વેક્સિન માટે લાંબી લાઈન
રાજ્યમાં વેક્સિનેશનને વેગ આપવા માટે સરકાર આયોજન કરી રહી છે. જો કે, હાલ રાજ્યમાં વેક્સિનેશન ધીમી ગતિથી ચાલી રહી છે. વેક્સિન સેન્ટરને મર્યાદિત વેક્સિનના ડોઝ અપાતા લાંબી લાઈનોમાં ઉભેલા લોકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક લોકોને વહેલી સવારથી ઉભા રહેવા છતાં ટોકન મળી નથી રહ્યાનો આરોપ છે.
શનિવારે 2 લાખ 96 હજાર 92 લોકોનું વેક્સિનેશન
વેક્સિનની અછતના આરોપ વચ્ચે શનિવારે કુલ 2 લાખ 96 હજાર 92 લોકોને વેક્સિન આપવામાં આવી. સૌથી વધુ અમદાવાદમાં 33 હજાર 700થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી. આ ઉપરાંત સુરતમાં 25 હજાર 400થી વધુ, વડોદરામાં 17 હજાર 500થી વધુ લોકોને રસી આપવામાં આવી.
કપ્પા વેરિયન્ટના 5 કેસ
બીજી તરફ રાજ્યમાં કોરોનાના કપ્પા વેરિયન્ટના 5 કેસ નોંધાયા છે. 5 કેસ પૈકી 3 કેસ જામનગર, 1 કેસ ગોધરા અને 1 કેસ મહેસાણામાં નોંધાયો છે. આ તમામ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ હાથ ધરાયું છે.કપ્પા વેરિયન્ટના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત