Team Chabuk-National Desk: અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાનો વનવાસ પૂર્ણ થયો છે ! અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સમારોહમાં અનેક દિગ્ગજો હાજર રહ્યા આ સમયે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા.
PM નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લાલાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતુ. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન છે. પીએમ મોદી, સંઘ પ્રમુખ ભાગવત અને સીએમ યોગી અભિષેકની વિધિમાં યજમાન બન્યા હતા.
પીએમ મોદીએ શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો અભિષેક કર્યો. આ પછી અયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પછી રામ મંદિર પરિસરમાં હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
#WATCH | PM Modi at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.
— ANI (@ANI) January 22, 2024
#RamMandirPranPrathistha pic.twitter.com/AZZEAI2R8z
પીએમ મોદીએ રામ મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કરી પ્રતિજ્ઞા લીધી હતી. આરએસએસના વડા મોહન ભાગવત તેમની બાજુમાં બેઠા હતા. મંત્રોચ્ચાર સાથે રામલલાના અભિષેકની વિધિ પૂર્ણ થઈ હતી.

આ પ્રસંગે ચિરંજીવી, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સચિન તેંડુલકર, વિવેક ઓબેરોય, સોનુ નિગમ, રજનીકાંત, માધુરી દીક્ષિત, વિકી કૌશલ, કેટરિના કૈફ, આયુષ્માન ખુરાના, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રાજકુમાર ચર્યાની સહિત અનેક દિગ્ગજ કલાકારો પહોંચ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત