Homeવિશેષઆંખના નંબર દુર કરવા છે તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, ચશ્મા...

આંખના નંબર દુર કરવા છે તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, ચશ્મા વિના જોઈ શકશો દુનિયા

Team Chabuk-Health Desk: આંખ એ શરીરનો સૌથી અગત્યનો અને સેન્સિટીવ ભાગ છે. આસપાસની દુનિયા જોવા માટે આંખનો જ ઉપયોગ કરવામાં આવે છે. જો કે, હાલના આ સમયમાં આંખને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે. મોબાઈલ, ટીવી જોવાની ટેવ અને ખાન-પાનના કારણે આંખમાં નંબર આવી જતાં હોય છે. ઘણાને તો નાની ઉંમરમાં જ ચશ્મા આવી જાય છે. દરેક ઉંમરના લોકોએ આંખની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો તમે પણ આંખના નંબરના કારણે ચશ્મા પહેરો છો તો આ આર્ટીકલ તમારા માટે છે. જો તમારે નંબરના ચશ્મા પહેરવાથી બચવું છે અથવા તો જો નંબર આવી ગયા હોય તો તે દૂર કરીને ચશ્મા વિના દુનિયા જોવી છે તો તમારા ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો પડશે. આ વસ્તુ ખાવાથી તમે તમારી આંખો સ્વસ્થ રાખી શકશો.

લીલા શાકભાજી

પાલક જેવા લીલા શાકભાજીમાં વિટામિન C અને A ભરપૂર માત્રામાં હોય છે. આ છોડ આધારિત વિટામિન A ના સેવનથી મોતિયા અને મેક્યુલર ડિજનરેશન જેવા વય-સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે. તેથી લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

ફળો અને શાકભાજી

ગાજર, કેરી, તરબૂચ, જરદાળુ અને શક્કરીયામાં બીટા કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે. આ વિટામિન Aનો એક પ્રકાર છે જેમાં આંખોની ઓછી રોશનીમાં જોવા માટે એડજસ્ટ કરવામાં મદદ કરે છે. આખા દિવસમાં આપણા શરીરને જરૂરી વિટામિન સીની અડધી માત્રા માત્ર એક શક્કરિયામાં હોય છે. આ ઉપરાંત શક્કરિયામાં વિટામિન Eની મર્યાદિત માત્રા પણ જોવા મળે છે.

કઠોળ 

ચણા, રાજમા અને કાળા વટાણાથી લઈને મસૂર સુધી તે બધામાં ઝિંકનું પ્રમાણ વધુ હોય છે. લીવરમાંથી  વિટામિન A ને  રેટિના સુધી લાવવાનું કામ ઝિંક કરે છે જ્યાં તેનો ઉપયોગ મેલાનિન નામના સુરક્ષાત્મક પિગમેંટ  બનાવવા માટે થાય છે. આ સિવાય તમે કઠોળને પણ તમારા આહારમાં સામેલ કરી શકો છો કારણ કે તેમાં ઝિંક સારી માત્રામાં જોવા મળે છે.

diet for eye

ઇંડા

ઈંડા એ આંખો માટે જરૂરી પોષક તત્વોનું પેકેજ છે. ઝિંક તેના સફેદ ભાગમાં હાજર હોય છે જ્યારે જરદીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે. તેમાં હાજર પીળો-નારંગી સંયોજન હાનિકારક વાદળી પ્રકાશને રેટિના સુધી પહોંચતા અટકાવે છે. તે મેક્યુલાની માત્રામાં પણ વધારો કરે છે, જે આંખોના રક્ષણાત્મક પિગમેંટ છે જે આપણી આંખોની કેન્દ્રીય દ્રષ્ટિને નિયંત્રિત કરે છે.

બ્રોકલી 

આ પ્રકારના શાકભાજીમાં વિટામિન A, C અને વિટામિન Eનું અદ્ભુત  કોમ્બિનેશન જોવા મળે છે. આ બધા એન્ટી-ઓક્સિડન્ટ્સ છે જે ફ્રી રેડિકલથી આંખના સેલ્સની રક્ષા કરે છે.વાસ્તવમાં, ફ્રી રેડિકલ એક પ્રકારનું  અસ્થિર  મોલિક્યૂલ  છે જે આંખોના હેલ્દી ટિશ્યૂને  તોડવાનું કામ કરે છે. આ રીતે સૌથી વધુ ખતરો રેટિનાને હોય છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments