Team Chabuk-Sports Desk : ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબા મેદાનના અભેદ કિલ્લાને ભેદી ઐતિહાસિક જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે ભારતની યુવા ટીમે હરાવી સમગ્ર ક્રિકેટ વિશ્વને ચકિત કરી દીધું છે. ભારતીય ટીમે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટે જીત મેળવી હતી. અંતિમ ઓવરમાં ખરાખરીનો ખેલ સર્જાયો હતો. થોડી ક્ષણો માટે ટેસ્ટ મેચ ટી ટ્વેન્ટીમાં પરિવર્તિત થઈ ગઈ હતી અને દર્શકોને જીવ અદ્ધર થઈ ગયા હતા. એક તરફથી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી હતી તો બીજી તરફ ઋષભ પંત તેમની જીતની આડે દિવાલ બનીને ઊભો હતો.
India displace Australia to become the new No.2 in the
— ANI (@ANI) January 19, 2021
ICC Test Team Ranking.
(Pic Source: BCCI Twitter)#AUSvsIND pic.twitter.com/THO5ImLnM5
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 369 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ભારતના પૂંછડીયા બેટ્સમેન અને બોલર ગણાતા શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની પચાસના બળે ઓસ્ટ્રેલિયાને ફક્ત 33 રનની લીડ મળી હતી. જોકે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની મહોમ્મદ સિરાઝે પાંચ અને શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ લીધી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ મોટો સ્કોર નહોતી કરી શકી.
ભારતની ટીમ જ્યારે બેટીંગ પર આવી ત્યારે રોહિત શર્મા 4 અને શુભમન ગિલ શૂન્ય રન પર હતા અને દિવસ પૂર્ણ થયો હતો. બીજા દિવસે જ્યારે ભારતની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે ઓસ્ટ્રેલિયા આંકડાની દૃષ્ટીએ ભારતની સામે ભારે પડશે તેવું લાગતું હતું તેની સામે ભારતીય બેટ્સમેનોએ મક્કમપણે ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરતા મેચ પર પકડ જમાવી લીધી હતી.
11 રન પર ભારતીય ટીમે રોહિત શર્માના રૂપે એક વિકેટ ગુમાવી હતી. જે પછી શુભમન ગિલે ઈનિંગને આગળ ધપાવતા ઓસ્ટ્રેલિયાના બોલરોને ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. ઘર આંગણે પણ ઓસ્ટ્રેલિયન બોલરોને શુભમને હંફાવ્યા હતા. ગીલે બે છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 146 બોલમાં 91 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમની નવી દિવાલ ગણાતા ચેતેશ્વર પુજારાએ વિકેટ બચાવતા 211 બોલમાં 56 રન ફટકાર્યા હતા, જેમાં 7 બાઉન્ડ્રીનો પણ સમાવેશ થાય છે.
ભારતીય ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ 22 બોલમાં 24 રન કર્યા હતા. જેમાં તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. એ પછી રહાણે પાસેથી કેપ્ટન ઈનિંગની આશા હતી જોકે ઓસ્ટ્રેલિયાના બોલર કમિનસ તેને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ભારતીય ટીમની જીતમાં મહત્વનો ફાળો ઋષભ પંતે નોંધાવ્યો હતો. તેણે અણનમ બેટીંગ કરતા એક છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 138 બોલમાં 89 રન કર્યા હતા. તેની વિકેટ મહત્વની હતી જોકે ઓસ્ટ્રેલિયાની ટીમ પંતની આગળ તમામ દાવપેચ અજમાવવામાં નિષ્ફળ પુરવાર થઈ હતી.
વોશિંગ્ટન સુંદરે ફરી બેટ વડે પરાક્રમ કરી બતાવતા 75.86ની સ્ટ્રાઈક રેટથી એક છગ્ગો અને એક ચોગ્ગાની મદદથી 29 બોલમાં 22 રન ફટકાર્યા હતા. આમ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને અંતિમ ઓવરમાં રસાકસ્સી ભર્યા મેચમાં હરાવ્યું હતું. અંતિમ ઓવરમાં ભારતીય ટીમ માટે ટી ટ્વેન્ટી જેવો માહોલ સર્જાયો હતો. ભારતની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના બોલરો દબાણ હેઠળ આવી ગયા હતા અને વિકેટ નહોતા લઈ શકતા. બીજી બાજુ ઋષભ પંતની હાજરીએ ઓસ્ટ્રેલિયાને પરાજયનો કડવો ઘૂંટડો પીવડાવ્યો હતો.
#YOUTHTEAMWORK WIN
— CMA H Padmanabhan (@CMAPappan) January 19, 2021
THANK YOU India @IshitaG1107 thanks for waking me up throughout series #INDAUS
Great Great Great Feelings 👍😀🙂@imVkohli@ajinkyarahane88@ImRo45@BCCI@SGanguly99@msdhoni@RaviShastriOfc#HappyPappanBhai pic.twitter.com/BiDv1sfK2d
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની હેટ્રીક
છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતતી આવી છે. ભારતે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ હરાવ્યું છે. 2018-19માં ઓસ્ટ્રેલિયાને ભારતે તેના જ ઘર આંગણે હરાવ્યું હતું, એ પછી આ પુનરાવર્તન થયું છે. 2018-19માં પણ 2-1થી જ પરાજય આપ્યો હતો. 2016-17માં ભારતના આંગણે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી દીધી હતી અને 2020-21માં ત્રીજી વખત ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપતા આંકડો હેટ્રીકનો થઈ ચૂક્યો છે.
BCCI has announced Rs 5 Crores as team bonus. These are special moments for India Cricket. An outstanding display of character and skill: BCCI Secretary Jay Shah
— ANI (@ANI) January 19, 2021
(Pic: Jay Shah Twitter)#AUSvsIND https://t.co/2a2AveGUYb pic.twitter.com/VVN6Clnmmk
ભારતીય ટીમે જીત મેળવતા જ બીસીસીઆઈએ પણ ટીમને બોનસ પેટે 5 કરોડ રૂપિયા આપવાની તાત્કાલિક જાહેરાત કરી દીધી હતી. જેથી ક્રિકેટરોની જીતની ખુશી પણ બેવડાઈ ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત