Homeતાપણુંમોદી દેશની સમગ્ર ખેતી એના ત્રણ-ચાર મિત્રોને આપવા માગે છે : રાહુલ...

મોદી દેશની સમગ્ર ખેતી એના ત્રણ-ચાર મિત્રોને આપવા માગે છે : રાહુલ ગાંધી

Team Chabuk-Political Desk : કોરોના સંકટમાં સરકારને ચારે બાજુથી ઘેર્યા પછી ખેડૂત આંદોલનની ઘટના પર વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે. એ જ દિશામાં આગળ વધતા કોંગ્રેસના સાંસદ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કૃષિ કાયદા ખેતીને બર્બાદ કરીને રાખી દેશે. હું તેનો વિરોધ કરું છું. હું જેપી નડ્ડાના સવાલોના જવાબ નહીં આપીશ ફક્ત ખેડૂતો અને દેશના જ સવાલનો જ જવાબ આપીશ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતના ઉદ્યોગજગતના મોટામાથાઓના નામ લીધા વિના મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી એક એક ચરણમાં ખેડૂતોને પૂર્ણ કરવામાં લાગ્યા છે. એ ફક્ત ત્રણ કાયદાઓ પર જ નહીં રોકાય. પણ અંતે ખેડૂતોને પૂરા કરવા માગે છે. જેથી દેશની સમગ્ર ખેતી તેના ત્રણ ચાર મિત્રોને આપી શકે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સમગ્ર દેશ મારી વિરૂદ્ધ થઈ જાય છતાં હું સત્ય માટે જ લડતો રહીશ. હું નરેન્દ્ર મોદી કે બીજેપીથી નથી ડરતો. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આ લોકો મને હાથ નથી લગાવી શકતા, પણ ગોળી મરાવી શકે છે. આ લોકો ખેડૂતોને થકાવવા માગે છે. એમને મુર્ખ ન બનાવી શકાય.

રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી એ ખેડૂત આંદોલનનું સન્માન કરે છે. પણ તેમની વિરૂદ્ધ જે પણ બોલે છે એમને દેશદ્રોહી સાબિત કરી દેવામાં આવે છે. સરકાર બોલતા પહેલા વિચારતી નથી. RSSથી એમને નહીં શીખવવામાં આવતું. પણ બોલતા પહેલા વિચારવાની જરૂર છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીની પદ્ધતિ વાત કરવાની નથી એક બિલકુલ અલગ રીતે ચાલે છે.

રાહુલ ગાંધીએ પોતાની સરકારને વાતમાં વણી લેતા જણાવ્યું હતું કે, જ્યારે મેં ભટ્ટા પરસૌલાનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે અમારી જ સરકાર હતી. અમારી સરકારે ખેડૂતોનું કરોડો રૂપિયાનું દેવુ માફ કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક બુકલેટ જાહેર કરી છે. જેનું શીર્ષક ‘ખેતીનું ખૂન’ છે.

ખેડૂત આંદોલન હોય કે વેક્સિનેશનની પ્રક્રિયા હોય કે પછી ચીનની સાથેનો વિવાદ હોય રાહુલ ગાંધી સતત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.

કોંગ્રેસની તરફથી સંસદમાં ખેડૂતોના બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ વિરોધ પક્ષે મુલાકાત કરી હતી. સાથે જ મંગળવારે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અરૂણાચલ પ્રદેશમાં ચીન એક ગામ બનાવી રહ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જુએ ટ્વીટ મારફતે જવાબ આપ્યો હતો કે જે વાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે એના પર તો કોંગ્રેસ સરકાર દરમિયાન ચીને કબ્જો કર્યો હતો. એક નેશનલ લીડર કેવી રીતે કોઈ પૂરાવા વગર આરોપ લગાવી શકે છે ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments