Homeગામનાં ચોરેઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા

ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા

Team Chabuk-National Desk: ભારતે બુધવારે રાત્રે 1.30 વાગ્યે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં નવ આતંકવાદી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરી. જેમાં કેટલાય આતંકીઓ માર્યા ગયાની શંકા છે. હુમલામાં લશ્કરના આતંકી હાફિઝ સઈદના પુત્ર તાલ્હા સઈદના ટોપ કમાંંડર ઠાર મરાયા છે. બીજી તરફ ભારતે પાકિસ્તાન બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. દાવો છે કે, ભારતના હુમલા બાદ પાકિસ્તાની ફાયટર જેટે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જો કે, પાકિસ્તાની સેનાના F-16 વિમાનને તોડી પડાયું હતું.

પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, આ હુમલામાં 30 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં આતંકી અડ્ડાઓને નિશાન બનાવાયા છે. આ એ વિસ્તાર છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરે છે.

હુમલા અંગે પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાન સરકારના 2 નિવેદનો સામે આવ્યા છે.

પહેલું નિવેદન
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જિયો ટીવીને જણાવ્યું હતું કે ભારતે પોતાના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા હતા, જે સીધા નાગરિક વિસ્તારો પર પડ્યા હતા.

બીજુ નિવેદન
પાકિસ્તાનની સરકારી ન્યૂઝ ચેનલ પીટીવી ન્યૂઝે દાવો કર્યો છે કે હુમલા દરમિયાન પાકિસ્તાની સેનાએ 2 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે.

મહત્વનું છે કે, 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. 26 પ્રવાસીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાઈ હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલા પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી.

પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો છે કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ પર મિસાઇલ હુમલા કર્યા છે. તેમણે તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો છે.

ઓપરેશન સિંદૂર નામ કેમ અપાયું ?
સિંદૂર હિન્દુ પરંપરામાં શક્તિ અને રક્ષણનું પ્રતીક છે, જે દેવી દુર્ગા અથવા શક્તિના સ્વરૂપ સાથે જોડાયેલું છે. પહલગામ હુમલામાં આતંકીઓએ ધર્મ પૂછીને ગોળીઓ ચલાવી હતી. હવે ભારતે ધર્મ કહીને બદલો લીધો છે.

opration sindoor

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments