Team Chabuk-National Desk: ભારતીય દળોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. હુમલાના 15 દિવસ પછી ભારતે બુધવારે રાત્રે લગભગ 1.05 વાગ્યે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકીઓના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. ભારતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો ખાતમો બોલાવ્યો છે. આ હુમલામાં તેના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હોવાની માહિતી મળી છે.

હકીકતમાં આતંકવાદી મસૂદ પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ સતત આતંકવાદી કાવતરાં ઘડી રહ્યો હતો. પરંતુ હવે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે અને આ ખાસ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે. જેમાં મસૂદ અઝહરના પરિવારજનો પણ માર્યા ગયા છે. આ હુમલા બાદ મસૂદ અઝહરની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેણે કહ્યું છે કે, હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત. આ હવાઈ હુમલામાં મૌલાના મસૂદ અઝહરની મોટી બહેનની સાથે મૌલાના કશફનો આખો પરિવાર માર્યો ગયો છે. સાથે જ મુફ્તિ રઉફના દોહત્ર અને દોહિત્રી, બાજી સાદિયાના પતિ સહિત મોટી દીકરીના ચાર બાળકો ઘાયલ થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત