Homeગામનાં ચોરેMillionaire Left India: આ વર્ષે 8000 કરોડપતિઓએ ભારત છોડ્યું, દેશ છોડનારા ટોપ-5...

Millionaire Left India: આ વર્ષે 8000 કરોડપતિઓએ ભારત છોડ્યું, દેશ છોડનારા ટોપ-5 દેશોમાં રશિયા-યુક્રેન!

Team Chabuk-National Desk: દુનિયાભરમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પણ ભારતીય કરોડપતિઓની યાદીમાં સતત નવા નામ સામેલ થઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન ભારત છોડીને અન્ય સ્થળની શોધમાં અમીરોનો દર પણ જબરજસ્ત વધી ગયો છે. હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ અનુસાર, એક વર્ષમાં 8,000 ભારતીય કરોડપતિઓએ દેશ છોડી દીધો છે. આ આંકડા સાથે ભારત હવે અમીરોના સ્થળાંતરના મામલે ટોપ-3 દેશોમાં સામેલ થઈ ગયું છે.

એક તરફ ભારતીય ઉદ્યોગપતિઓ વિશ્વના ટોચના અમીરોની યાદીમાં સ્થાન મેળવી રહ્યા છે ત્યારે બીજી તરફ મોટી સંખ્યામાં ભારતીયનો દેશ પ્રત્યે મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. આંકડાઓ કહી રહ્યા છે કે વર્ષ 2022માં જ હજારો કરોડપતિઓએ ભારતને ટાટા કહ્યું છે. હેનલી એન્ડ પાર્ટનર્સે પોતાના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ હિસાબે ભારત વિશ્વના ત્રણ દેશોમાં સામેલ છે, જ્યાંથી કરોડપતિઓએ ભારત છોડ્યું છે. આ યાદીમાં પ્રથમ નંબરે રશિયા જ્યારે બીજા નંબર પર ચીનનું નામ આવે છે.

બિઝનેસ ઇનસાઇડર પર પ્રકાશિત હેનલી એન્ડ પાર્ટનર્સનો રિપોર્ટ જોતાં સ્પષ્ટ થાય છે કે ભારત સહિત અનેક દેશોના કરોડપતિઓ પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2022માં ભારતમાંથી 8,000 કરોડપતિઓ સ્થળાંતર કરી ચૂક્યા છે. જ્યારે આ મામલે મોખરે રહેલા રશિયામાંથી સ્થળાંતર કરનારા કરોડપતિઓની સંખ્યા આ વર્ષે 15,000 રહી છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ચીનમાંથી 10,000 કરોડપતિઓ સ્થળાંતર કરી ચૂક્યા છે.

કોવિડ -19 રોગચાળા દરમિયાન, ઉચ્ચ નેટવર્થ લોકોના દેશ છોડવાની યોજના પર થોડો બ્રેક લાગ્યો હતો, પરંતુ હવે ફરીથી ધનિકોએ વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કર્યું છે અને તાજેતરનો આંકડો તેનું ઉદાહરણ છે. નોંધપાત્ર રીતે, ઊંચી નેટવર્થ ધરાવતા લોકોમાં એવા અમીર લોકોનો સમાવેશ થાય છે કે જેમની પાસે 10 લાખ ડોલર કે તેથી વધુની સંપત્તિ હોય. જોકે, આ હિજરતની સાથે ભારતમાં નવા કરોડપતિઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે રિપોર્ટમાં એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે જીવનધોરણ સુધર્યા બાદ દેશ છોડી ગયેલા આ અમીર લોકો ફરીથી ભારત પરત આવી શકે છે.

રિપોર્ટ અનુસાર માત્ર રશિયા-ચીન અને ભારત જ નહીં પરંતુ હોંગકોંગ એસએઆર, યુક્રેન, બ્રાઝિલ, યુકે જેવા દેશોમાંથી પણ કરોડપતિઓનો સિલસિલો ચાલુ છે અને તેનો દર વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષોમાં દેશ છોડીને જતા કરોડપતિઓના દરમાં સતત વધારો થયો છે. કોરોના સમયગાળા દરમિયાન, 2020-21માં આ દરમાં ઘટાડો થયો હતો. રિપોર્ટમાં રશિયાના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેન વિશે કહેવામાં આવ્યું છે કે 2022ના અંત સુધીમાં યુક્રેનના 42 ટકા હાઈ નેટવર્થ લોકો દેશ છોડી શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments