Homeદે ઘુમા કેન.મો. સ્ટેડિયમાં દર્શકો વિના રમાશે મેચ, ટિકિટ લીધી છે એમનું શું ?

ન.મો. સ્ટેડિયમાં દર્શકો વિના રમાશે મેચ, ટિકિટ લીધી છે એમનું શું ?

Team Chabuk Sports desk: અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. જેને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી હવેની ક્રિકેટ મેચ દર્શકો વગર જ રમાડવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે આગામી ત્રણ ટી-20માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો જોવા નહીં મળે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, આગામી 16, 18 અને 20 માર્ચે બાકીની ટી-20 મેચ રમાવાની છે પરંતુ આ મેચ દર્શકો વગર રમાડવામાં આવશે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નિર્ણયના પગલે એ દર્શકો મુજાયા છે જેમને ટિકિટ બુક કરાવી લીધી છે. જો કે, જીસીએએ ખાતરી આપી છે કે, દર્શકો પાસેથી એડવાન્સ લેવાયેલા નાણાં તેમને પરત આપવામાં આવશે. દર્શકોને નાણાં પરત આપવા માટેની યોજના તૈયાર થઈ રહી છે. આ ઉપરાંત જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તે લોકોને પણ સ્ટેડિયમમાં ન આવવા વિનંતી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 810 કેસ નોંધાયા બાદ સોમવારે ફરી કેસ વધ્યા છે. સોમવારે ગુજરાતમાં કુલ 890 લોકો સંક્રમિત થયા છે. સોમવારે એક દિવસમાં સુરતમાં સૌથી વધુ 240 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં નોંધાતા કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. અમદાવદમાં એક દિવસમાં કુલ 205 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં વધતા કેસના કારણે તંત્ર સતર્ક બન્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકના વિસ્તારમાં જ તંત્રએ અનેક માઈક્રો કન્ટેઈન્મેન્ટ  અને હાઈ રિસ્ક એરિયા જાહેર કર્યા છે.

ટી-20 મેચ શરૂ થયા બાદ જ ચર્ચા થઈ રહી હતી કે જો મેચ જોવા માટે વધુ લોકો આવશે તો આસપાસના લોકોને પણ જોખમ વધવાની શક્યતા છે. શરૂઆતમાં એવી વાત વહેતી થઈ હતી કે સ્ટેડિયમાં 1.30 લોકો હાજર રહેશે. જો કે, બાદમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્પષ્ટતા કરી હતી કે સ્ટેડિયમાં 70 હજાર લોકો જ હાજર રહેશે. જેના કારણે અડધુ સ્ટેડિયમ ખાલી રહેશે.

પ્રથમ બે ટી-20માં દર્શકોએ નિયમોના લીરેલીરા ઉડાવ્યા હતા. દર્શકોએ મેચ જોવાની ખુશીમાં સોશિયલ ડિસ્ટંસિંગનો તો ભંગ કર્યો જ હતો પરંતુ માસ્કના નિયમોના પણ ધજાગરા ઉડ્યા હતા.

બીજી તરફ મેદાનમાં જનમેદની ભેગી કરવા મુદ્દે અનેક સવાલ પણ ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર એવા પણ મીમ વહેતા થયા હતા કે, મેચ જોવાથી કોરોના નથી થતો, કોરોના માત્ર લગ્નપ્રસંગમા જ થાય છે.

લોકોનું કહેવું છે કે, જે નિર્ણય જી.સી.એએ અત્યારે લીધો છે તે પહેલી મેચથી જ લેવાની જરૂર હતી. તંત્ર કોરોનાના વધતા કેસ મુદ્દે અજાણ ન હતું છતા મોટી સંખ્યામાં દર્શકોને સ્ટેડિયમાં એન્ટ્રી આપી હતી. જો કે, હવે જાગ્યા ત્યારથી સવાર. મોડે મોડે પણ GCAએ જે નિર્ણય લીધો છે તે આવકાર્ય છે. તો દર્શકોએ પણ નિરાશ થવાના બદલે તંત્રના નિર્ણયણે વધાવવો જોઈએ. કારણ કે, હવે સ્ટેડિયમમાં ખીચોખીચ બેસીને કોરોનાને આમંત્રણ આપવાના બદલામાં ઘરે બેસીને પરિવાર સાથે મેચની મજા માણી શકાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments