Team Chabuk-International Desk: ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી છે. બુધવારે (19 ઓક્ટોબર) યુક્રેનના ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ભારતના નાગરિકોને યુક્રેન ન જવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને વહેલી તકે યુક્રેન છોડવાની સલાહ આપી છે.
"Leave Ukraine at the earliest…" Indian embassy warns
— ANI Digital (@ani_digital) October 19, 2022
Read @ANI Story | https://t.co/35nnhsf899#RussiaUkraineWar #RussiaUkraineConflict #Indianembassyukraine pic.twitter.com/L5u52DOtx1
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર પ્રદેશોમાં માર્શલ લોની જાહેરાત કરી હતી. આ વિસ્તારો લુહાન્સ્ક, ડોનેટ્સ્ક, ઝાપોરિજ્જિયા અને ખેરસોન છે, જે ગેરકાયદેસર રીતે રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. માર્શલ લોની ઘોષણા પછી રશિયાના તમામ પ્રદેશોના વડાઓને વધારાની કટોકટીની સત્તાઓ મળી છે.
રશિયા તરફથી યુક્રેન પર હુમલા પણ વધારી દેવામાં આવ્યા છે. સોમવારે (17 ઓક્ટોબર) જ યુક્રેનના ઘણા શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેને કહ્યું હતું કે ડ્રોન હુમલામાં છ લોકોના મોત થયા છે, જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા 10 ઓક્ટોબરે રશિયા તરફથી યુક્રેનમાં લગભગ 84 મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં 19 લોકોના મોત થયા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) કહ્યું કે, રશિયાએ ગત સપ્તાહમાં યુક્રેનના 30 ટકા પાવર સ્ટેશનનો તબાહ કર્યો છે.ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, રશિયન સેનાએ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને યુક્રેનના ત્રીજા ભાગનાં પાવર સ્ટેશનનો નાશ કર્યો હતો. સોમવારે (17 ઓક્ટોબર) રશિયાએ કિવ અને સુમીમાં ડ્રોન હુમલા કર્યા હતા, યુક્રેને જણાવ્યું હતું કે, આ હુમલાઓમાં 6 લોકો માર્યા ગયા હતા. જેમાં એક ગર્ભવતી મહિલા પણ હતી. ડ્રોન હુમલામાં યુક્રેનની ઘણી ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત