Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને 124 દિવસ બાદ જામીન મળ્યા છે. ગત વર્ષે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીના તિકુનિયામાં થયેલી હિંસા કેસમાં આશિષ મિશ્રાની 9 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. આખરે 124 દિવસના જેલવાસ બાદ આશિષ મિશ્રાને જામીન મળ્યા છે. જો કે તે એક-બે દિવસ બાદ જેલની બહાર આવશે.
આશિષ મિશ્રાના વકીલ અવધેશ સિંહે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે આશિષ મિશ્રાના જામીન મંજૂર કર્યા છે. જો કે હજુ આ અંગેનો આદેશ આવવાનો બાકી છે. વકીલે જણાવ્યું કે આદેશ આવી ગયા પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેમાં એક-બે દિવસનો સમય લાગી શકે છે.
આશિષ મિશ્રાને આ કારણોસર મળ્યા જામીન
આશિષ મિશ્રાના વકીલ સલિલ શ્રીવાસ્તવે આ જામીન કેમ મળ્યા તે અંગે વાતચીત કરી હતી. શ્રીવાસ્તવે જણાવ્યું કે, ખેડૂતો પર જે કાર ચડાવવામાં આવી હતી તે કાર આશિષ મિશ્રા નહીં પરંતુ હરિઓમ મિશ્રા ચલાવતો હતો અને તેમણે પોતાના રક્ષણ માટે કાર ચડાવી દીધી હતી. વકીલે કહ્યું કે ડ્રાઈવરના ગુના માટે આશિષ મિશ્રાને જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય ? તેમણે એમ પણ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે લખીમપુર ખીરી હિંસામાં કોઈપણ ખેડૂતનું મૃત્યુ ગોળી વાગવાથી થયું નથી. આશિષ મિશ્રાના વકીલે ચાર્જશીટ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઈટીના એક પણ અધિકારીની સહી નથી. તેથી અમે તેને ગેરકાનુની માનીએ છીએ.
એસઆઈટીએ આશિષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવ્યો
લખીમપુર ખીરી હિંસાની તપાસ કરી રહેલી એસઆઈટીએ 3 જાન્યુઆરીના રોજ 5 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં આશિષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં એસઆઈટીએ કહ્યું હતું કે આશિષ મિશ્રાને એક ષડયંત્રના ભાગરૂપે જ 4 ખેડૂતો પર પોતાની કાર ચડાવી હત્યા કરી હતી. એસઆઈટીના જણાવ્યા પ્રમાણે તિકુનિયા ગામમાં હિંસા વખતે જે ગોળીઓ ચલાવવામાં આવી હતી તે આશિષ મિશ્રા અને અંકિત દાસના લાઈસન્સવાળા હથિયારમાંથી ચલાવાઈ હતી. એસપીઓ એસપી યાદવે જણાવ્યું હતું કે કેસમાં જે સાક્ષીના નિવેદનો લેવાયા છે તેમાં ઘટના સ્થળે આશિષ મિશ્રા હાજર હોવાનું સામે આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
