Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં આવેલા લેપા ગામમાં જુની અદાવતમાં 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. બે પરિવાર વચ્ચે ઘણા વર્ષોથી જમીન મામલે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો અંજામ કરુણ આવ્યો છે અને 6 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. સમગ્ર હત્યાકાંડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લેપા ગામમાં છેલ્લા 10 વર્ષથી ચાલતા જમીન વિવાદમાં આજે સવારે ફાયરિંગ કરવામાં આવ્યું. બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં એક પરિવારના લોકોએ અન્ય પરિવારના લોકો પર ગોળીઓ વરસાવી અને 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ફાયરિંગમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે લેપા ગામમાં ધીરસિંહ અને ગજેન્દ્રસિંહના પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ધીરસિંહના પરિવારના બે લોકોની વર્ષ 2013માં હત્યા કરવામાં આવી હતી. હત્યાનો આરોપ ગજેન્દ્રસિંહના પરિવાર પર લગાવવામાં આવ્યો હતો. મામલો કોર્ટમાં ચાલ્યો અને બન્ને પરિવારોએ સામાજિક રીતે સમાધાન કરી લીધું. સમાધાન થઈ જતાં ગજેન્દ્રસિંહ પક્ષનો પરિવાર ગામમાં રહેવા માટે આવી ગયો હતો.
Firing took place over old enmity in Lepagaon under Porsa PS of Morena, MP.
— Anshuman (@anshuman_tiwari) May 5, 2023
5 people died on the spot in the firing. It is being told that about 6 years ago there was a shootout between the two parties in which some people were sot dead pic.twitter.com/culywSF368
ત્યારે આજે સવારે ધીરસિંહના પરિવારના લોકોએ ગજેન્દ્રસિંહ પક્ષના લોકો પર હુમલો કર્યો. પહેલા બન્ને પરિવારજનો વચ્ચે લાકડીઓ વડે મારામારી થઈ. ત્યારબાદ ધીરસિંહ પક્ષના શ્યામૂ અને અજીતે મળીને ગજેન્દ્રસિંહ અને તેના પરિવારજનો પર ગોળીઓ ચલાવવાની શરૂ કરી. જેમાં 6 લોકોના મોત થયા. સામે ઉભા રહીને જ બે યુવાનોએ ગોળીઓ ચલાવી.
ઘટનાની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો લેપા ગામ પહોંચ્યો. એએસપી રાયસિંહ નરવરિયાએ જાણકારી આપતાં કહ્યું કે આ ફાયરિંગમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
