Team Chabuk-National Desk: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલિન થયા છે. દિકરા અખિલેશ યાદવે પિતા મુલાયમ સિંહને મુખાગ્નિ આપી હતી. બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અને તેની માતા જયા બચ્ચન પણ સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા ઉત્તર પ્રદેશના સૈફઈ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના સૈફઈમાં સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સૈફઈ ‘નેતાજી અમર રહે’ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. નેતાજીના સમર્થકો મોટી સંખ્યામાં સૈફઈમાં ઉમટી પડ્યા છે. ઉત્તરપ્રદેશમાં મુલાયમ સિંહના નિધનના કારણે 3 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ સૈફઈ જઈને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ અખિલેશ યાદવને મળ્યા અને સાંત્વના આપી. મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહને સૈફઈના મેળાના મેદાનમાં સ્ટેજ પર રાખવામાં આવ્યો હતો. અહીં પહોંચેલા નેતાઓ અને કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન અખિલેશ યાદવ, શિવપાલ યાદવ સહિત ઘણા લોકો સ્ટેજ પર દેખાયા હતા.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના તેમના વતન ગામ સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર અખિલેશ યાદવે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. તેમણે સોમવારે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સૈફઈમાં મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. નેતા હોય કે અભિનેતા, દરેક મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા માટે સૈફઈ પહોંચી ગયા છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સાંસદ વરુણ ગાંધી, ભાજપના રીટા જોશી, ટીડીપી વડા ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, અનિલ અંબાણી, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, પૂર્વ સીએમ કમલનાથ સહિત અનેક દિગ્ગજો તેમના અંતિમ સંસ્કાર માટે સૈફઈ પહોંચ્યા હતા. અભિનેતા અભિષેક બચ્ચન તેની માતા અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન સાથે યુપીના પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા સૈફઈ પહોંચ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
