Homeગામનાં ચોરેઅર્ણબ જ્યારે બે વર્ષનો હતો ત્યારની વાતો સાથે તેની ધરપકડની આજે તુલના...

અર્ણબ જ્યારે બે વર્ષનો હતો ત્યારની વાતો સાથે તેની ધરપકડની આજે તુલના થઈ રહી છે

આજથી એકાદ દોઢ વર્ષ પહેલાની વાત છે. અર્ણબ ગોસ્વામી ટીવી પર એન્કરીંગ કરતાં હતા. ભાગ્યે જ એમના વિશે કોઈએ વાત કરી હશે. ને પછી અર્ણબ હિન્દીમાં એન્કરીંગ કરવા લાગ્યા. બ્રિટનમાં સમાજશાશ્ત્રનો અભ્યાસ કરનારા વ્યક્તિ માટે અને જેની ભાષા હિન્દી નથી, તેના માટે શરૂઆતમાં હિન્દી બોલવું આકરું પડે તે સ્વાભાવિક વાત છે.

અર્નબ છેલ્લા સાત મહિનાથી ન પ્રેઝન્ટ કરવા જેવા સમાચાર આપી વાઈરલ થઈ રહ્યો છે તેના પાયામાં હિન્દી ભાષા છે. જે સર્વેક્ષણ કોઈ ન કરી શક્યું તે અર્નબે ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં બેઠા બેઠા કરી દીધું.

અર્ણબે સાબિત કર્યું કે ભારત જેવા દેશમાં અંગ્રેજીની જગ્યાએ હિન્દી ન્યૂઝ ચેનલ વધારે જોવામાં આવે છે. અર્ણબે સાબિત કર્યું કે, આ દેશમાં તડકભડક, મસાલો ભભરાવીને સમાચારો રજૂ કરવામાં આવે તો ચેનલ જોવામાં આવે છે. અર્ણબે એ પણ સાબિત કર્યું કે ચેનલ જોનારા લોકો ચેનલના વીડિયો શેર કરી આપની ટીકા કરશે પણ જોશે તો તમને જ, કારણ કે એમાંથી તેમને જોતી હશે એવી મનોરંજનની વસ્તુ મળી જવાની છે. અર્ણબે એ પણ સાબિત કર્યું કે આજ તક જે રીતે સમાચારો ક્રિએટ કરે છે, એ રીતે જ પણ થોડો વધારે ડ્રામા ક્રિએટ કરીએ, તો પણ તમારી ચેનલમાં લોકોનો ઘસારો જોવા થશે. અર્ણબની ચેનલ નંબર વન પણ થઈ. રિપબ્લિકન ચેનલની ટીઆરપી ખોટી હોવાની વાત પણ સામે આવી અને હવે આજે અર્ણબની ધરપકડ કરી લેવામાં આવી છે.

આજે સવારે. સવારના સાડા છ વાગ્યા હતા. પોલીસ અર્ણબના મુંબઈના પરેલ ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચી ગઈ. આવતા જતા માર્ગોને બ્લોક કરી દેવામાં આવ્યા. પોલીસે રિપબ્લિક સમાચારના પત્રકારોને પણ અંદર પ્રવેશતા રોક્યા. ચેનલનું ટ્વીટ તો એમ પણ કહે છે કે ઘર્ષણ પણ થયું હતું.

ધરપકડ થયા બાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી લખ્યું છે કે, વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીની ધરપકડ એ ગંભીર રૂપથી આલોચનાત્મક, અનુચિત અને ચિંતાજનક છે. 1975ની ઈમરજન્સીનો વિરોધ કરતાં અમે પ્રેસની સ્વતંત્રતાની લડાઈ લડી છે.

વકિલ મહેશ જેઠમલાણી કહે છે કે, અર્ણબ ગોસ્વામીની ધરપકડ એક એવી ઘટનામાં કરવામાં આવી છે જે અંગે થોડા વર્ષો પહેલા ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો. જો પોલીસ ફરીથી કેસ ખોલે છે તો પણ ધરપકડ ખોટી છે. આ તો બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહી છે.

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, આ મીડિયાની સાથે વ્યવહાર કરવાની પદ્ધતિ નથી. આ અમને ઈમરજન્સીની યાદ અપાવે છે જ્યારે મીડિયાની સાથે આવો વ્યવહાર કરવામાં આવતો હતો.

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મીડિયાના જે લોકો આજે અર્ણબના સમર્થનમાં ઊભા નથી એ ફાસીવાદનું સમર્થન કરે છે. તમે અર્ણબને પસંદ નથી કરતાં, તમે તેને સ્વીકાર નથી કરતાં, તમે તેના અસ્તિત્વને તુચ્છ સમજો છો. પણ જો તમે ચૂપ રહો છો તો તમે દમનનું સમર્થન કરો છો. કોણ બોલશે જો આગામી નંબર તમારો છે.

અમિત શાહે પણ ઈમરજન્સીનો જ પોતાના ટ્વીટમાં ઉલ્લેખ કર્યો અને આ ઘટનાને વખોડી કાઢી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments