Team Chabuk-National Desk: રત્નાગિરી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શિવસેના નેતા સુકાંત સાવંત પર પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. હત્યાના આરોપમાં પોલીસે સુકાન્ત સાવંત સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. આરોપ છે કે, ગત 2 સપ્ટેમ્બરે સુકાન્ત સાવંતે તેના મિત્ર રૂપેશ સાવંત અને પ્રમોદ ગવાનંગ સાથે મળી પોતાની પત્નીને એક રૂમમાં બંધ કરી પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી.
એટલું જ નહીં સુકાન્તે પત્નીને સળગાવ્યા બાદ તેના સાથીઓ સાથે મળી રત્નાગિરીના દરિયામાં અલગ-અલગ સ્થળે પત્નીના અસ્થિ ફેંકી દીધા હતા. જેથી કોઈને પૂરાવા ન મળે. આરોપી સુકાન્તની પત્ની સ્વપ્નાલી સાવંત રત્નાગિરી પંચાયત સમિતીના અધ્યક્ષ પર પર કામ કરી ચૂકી છે.
આરોપીએ સ્વપ્નાલીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોતાની પત્ની ગૂમ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી તો ધીમે-ધીમે સત્ય સામે આવતું ગયું. બાદમાં પોલીસે સુકાન્ત સાવંતની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
સૂત્રોનું માનીએ તો સુકાન્ત અને સ્વપ્નાલીના અવારનવાર ઝઘડા થતાં હતા. બંને એકબીજા પર અનૈતિક સંબંધોના આરોપ લગાવતા હતા આ જ વાતથી નારાજ થઈ ગુસ્સામાં સુકાન્ત સાવંતે સ્વપ્નાલીની હત્યાનું કાવતરું રચ્યું હતું. પોલીસે સુકાન્તને સાથે રાખીને દરિયામાં શોધખોળ પણ કરી જો કે, સ્વપ્નાલીના અસ્થિ મળ્યા નહીં. હાલ આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- જો જો હોસ્ટેલ બદલાવી નાખજો પરંતુ આવું ન કરતા…
- KKR vs SRH: રસલ-ક્લાસેન ઓન ફાયર ! છગ્ગાનો વરસાદ, એક મેચમાં રેકોર્ડનો ઢગલો
- IPL 2024: એક નહીં બે ખેલાડીઓએ પકડ્યો કોહલીનો કેચ, જુઓ વીડિયો
- રશિયાઃ મોસ્કોમાં આતંકી હુમલામાં 70 લોકોના મોત, 115 લોકો ઘાયલ
- મોરબી ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા