Homeગામનાં ચોરેસૌથી મોટા સમાચાર, કોરોનાના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન જાહેર,...

સૌથી મોટા સમાચાર, કોરોનાના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન જાહેર, જાણો રાજ્યોને શું આપ્યા કડક આદેશ ?

Team Chabuk-National Desk: ચીનમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો બાદ કેંદ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે. કોરોનાને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક મળી હતી. આ બેઠક બાદ ચોક્કસ નિર્ણયો લેવામાં આવ્યાં છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવું જેવી બાબતોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. ચીન, જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ સતર્ક છે. ચીનમાં તાજેતરના મોટાભાગના કોવિડ કેસ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF7 (BF7)ના છે. ભારતમાં પણ BF7ના ચાર કેસ સામે આવ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ-19ના નિવારણ માટેની તૈયારીઓને લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

બેઠક બાદ શુક્રવારે (23 ડિસેમ્બર) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક ગાઈડલાઈન બહાર પાડી હતી. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, તેથી ખાસ ધ્યાન રાખો. આ સાથે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની પણ સલાહ આપવામાં આવી છે. રાજ્યોને એ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું હતું કે તમામ લોકો પ્રિકોશન ડોઝ લે.

તહેવારોમાં ખાસ સાવધાન રહેવું

તહેવારોમાં કોઇપણ કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે જેમાં કોઇપણ બિઝનેસ ઇવેન્ટમાં કે અન્ય કાર્યક્રમમાં ઓવર ક્રાઉડિંગને ટાળવાનું સાથે જ વેન્ટિલેશન વાળી જગ્યાઓ પસંદ કરવા જેવી બાબતો પર ઘ્યાન આપવાનું રહેશે.

માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું

લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (22 ડિસેમ્બર) એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે (21 ડિસેમ્બર) પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (22 ડિસેમ્બર) એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપરાંત આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા હતા.

જેમાં પીએમ મોદીએ કહ્યું કે મજબૂત દેખરેખની જરૂર છે અને તપાસ વધારવી જોઈએ. તે જ સમયે, તેમણે માસ્ક પહેરવાની સલાહ આપી અને કહ્યું કે કોવિડ હજી સમાપ્ત થયો નથી. પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments