Homeગામનાં ચોરેમહિન્દ્રા ફાઈનાન્સ આઉટસોર્સ રિકવરી એજન્ટ નહીં રાખી શકે, ગર્ભવતી મહિલાના મોતની ઘટના...

મહિન્દ્રા ફાઈનાન્સ આઉટસોર્સ રિકવરી એજન્ટ નહીં રાખી શકે, ગર્ભવતી મહિલાના મોતની ઘટના મુદ્દે RBIનો મોટો નિર્ણય, જાણો શું હતો સમગ્ર મામલો

Team Chabuk-National Desk: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ પર RBIએ કડક કાર્યવાહી કરી છે. RBIએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ પર આઉટસોર્સિંગ રિકવરી એજન્ટ્સ રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.કંપનીના એક એજન્ટે ટ્રેક્ટરની લોનની વસૂલી માટે ઝારખંડના હઝારીબાગમાં એક ગર્ભવતી મહિલાને કથિત રીતે ટ્રેક્ટર નીચે કચડી હતી. આ દુર્ઘટનામાં ગર્ભવતી મહિલાનું મોત થયું હતું.જે બાદ રિઝર્વ બેંકે કંપનીને લઈને કડક નિર્દેશ જાહેર કર્યા છે.

ઝારખંડના હઝારીબાગ જિલ્લાના સિઝુઆ ગામે એક દિવ્યાંગ ખેડૂતે 2018માં મહિન્દ્રા ફાયનાન્સથી ટ્રેક્ટર ફાયનાન્સ કરાવ્યું હતું. લગભગ સાડા પાંચ લાખના ટ્રેક્ટરના હપ્તા તેઓ સતત ચુકવતા હતા. 1 લાખ 20 હજાર રૂપિયાના 6 હપ્તા ભરવાના બાકી હતા. દિવ્યાંગ ખેડૂતે આરોપ લગાવ્યો હતો કે, ફાયનાન્સ કંપનીના કર્મચારી બાકી નીકળતી રકમ ઉપરાંત 12 હજાર રૂપિયા વધુ માગતા હતા. વધારાના 12 હજાર રૂપિયા આપવાનો ઈનકાર કરતા રિકવરી એજન્ટ બળજબરીથી ટ્રેક્ટર લઈ જવા લાગ્ય. આ દરમિયાનન બરિયઠ ગામની પાસે પરિવારના લોકો ટ્રેક્ટરની સામે ઊભા રહી ગયા અને લોનની રકમ 1.20 લાખ રૂપિયા ભરવાની વાત કરી. બીજી તરફ કર્મચારીએ 12 હજાર રૂપિયા વધુ આપવાની વાત પકડી રાખી.

વધુ રૂપિયા આપવાની વાતનો ઈનકાર કરતા ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ ટ્રેક્ટર પર ચઢી ગયા અને બૂમો પાડવા લાગ્યા કે સામેથી હટી જાવ નહીંતર ટ્રેક્ટર માથે ચઢાવી દઈશું. જ્યારે પરિવારના લોકો ન હટ્યા તો રિકવરી એજન્ટે ડ્રાઈવરને ટ્રેક્ટર આગળ ચલાવવાના આદેશ આપ્યા. ડ્રાઈવરે ખેડૂતની ગર્ભવતી દીકરીને ટ્રેક્ટર નીચે કચડી નાખી. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત સર્જી આરોપી ફરાર થઈ ગયા.

આ અંગે પોલીસે કહ્યું હતું કે, રિકવરી માટે પીડિતાના ઘરે જતાં પહેલાં ફાયનાન્સ કંપનીના અધિકારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી ન હતી. સમગ્ર કેસમાં પોલીસે મહિન્દ્રા ફાયનાન્સ કંપનીના 4 લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છેકે, મૃતકના લગ્ન 1 વર્ષ પહેલાં જ થયા હતા. તે ત્રણ મહિનાની ગર્ભવતી હતી. તેનો પતિ દુર્ઘટનાના ચાર દિવસ પહેલાં જ તેને પિયર મૂકવા આવ્યો હતો.

બીજી તરફ મહિન્દ્રા ફાયનાન્સ કંપનીના MD ડૉ. અનિશ શાહે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને તપાસમાં ખાતરી આપવાની વત કરી હતી.તેમણે કહ્યું હતું કે, આ ઘટનાને લઈને દરેક મુદ્દે યોગ્ય તપાસ કરાશે. થર્ડ પાર્ટીની મદદથી લોન રિકવરી પર પણ વિચાર કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments