Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધી રહેલા કેસની સામે સ્થિતિ થોડી સામાન્ય બની છે. ત્યાં બંગાળની એક વ્યક્તિએ કોરોના મહામારીના સંશોધન માટે પોતાના શરીરનું દાન કરી દીધું છે. હવે તેના શરીર પર કોરોનાનું શોધકાર્ય આરંભાશે. આ પ્રકારની ઘટના દેશમાં પ્રથમ વખત બની છે. દેશમાં હાલ સતત કોરોના વાઈરસને લઈ શોધ સંશોધન થઈ રહ્યા છે.
દાન કરનાર વ્યક્તિનું નામ નિર્મલ દાસ
મીડિયા અહેવાલ અનુસાર શરીર દાન કરનારા વ્યક્તિનું નામ નિર્મલ દાસ છે. તેમની વય 89 વર્ષની હતી અને તે ન્યૂટાઉન વિસ્તારના રહેવાસી હતા. નિર્મલ દાસ એક કેન્સરના દર્દી હતા. જે પોતાની મૃત્યુ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. શુક્રવારના રોજ તેમણે ચિકિત્સા અનુસંધાન માટે પોતાનું શરીર દાન કરી દીધું. એક અધિકારીએ જણાવ્યું હતું કે નિર્મલબાબુનો પાર્થિવ દેહ શનિવારના રોજ આરજીકર મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં દાન કરી દેવામાં આવ્યો હતો.
ઉત્તર પરગના અને કોલકાતામાં સર્વાધિક કેસ
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં 3805 નવા કેસ સામે આવ્યા છે. તાજા કેસની સાથે હાલ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને કુલ 19,86,667 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોલકાતામાં સર્વાધિક 481 નવા કેસ સામે આવ્યા છે. જે પછી ઉત્તર 24 પરગના જિલ્લામાં 438 નવા કેસ સામે આવ્યા છે. એ દરમ્યાન રાજ્યમાં 34 મોત નોંધાયા છે. હાલ કુલ મોતનો આંકડો 20,515 થઈ ગયો છે. કોરોનાથી ઉત્તર 24 પરગના જિલ્લામાં 9 અને કોલકાતામાં આઠ મોત થયા છે.
કેટલા લોકો સ્વસ્થ થયા ?
24 કલાકમાં 13,767 લોકો સ્વસ્થ થયા છે. ત્યાં હવે કોરોના મહામારીમાંથી ઉગરનારા લોકોની કુલ સંખ્યા 19,20,423 થઈ ગઈ છે. ડિસ્ચાર્જ થનારા લોકોનો રેટ સુધરીને 96.67 ટકા થઈ ગઈ છે. હવે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 9,996થી વધીને 45,729 થઈ ગઈ છે.
4,58,584 વેક્સિનના ડોઝ
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 24 કલાકમાં, પશ્ચિમ બંગાળમાં 61,883 કોરોના વાઈરસના નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેનાથી અહીં તપાસ કરવામાં આવેલા નમૂનાઓની કુલ સંખ્યા 2,30,64,032 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાજ્યમાં કોરોના વાઈરસ સામે પ્રતિરોધક વેક્સિનના ઓછામાં ઓછા 4,58,584 ડોઝ આપવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
