Team Chabuk-National Desk: દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. ધીમે ધીમે કેસ ઓછા થઈ રહ્યા છે. બીજી તરફ દેશમાં ફરી અનલૉકની સ્થિતિ બની રહી છે. મંદિરો અને પર્યટન સ્થળો ખુલ્યા છે. જો કે, પર્યટન સ્થળો ખુલતાનની સાથે જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે મુસાફરોને ડરાવી રહ્યો છે. જોકે, બાદમાં પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લોકોની સુરક્ષાની ખાતરીનો સંકેત પણ આપ્યો છે.
વીડિયોમાં શું છે ?
વીડિયોમાં કેટલાક શખ્સો જોવા મળી રહ્યા છે. જેમના હાથમાં ચાકુ છે અને કારચાલકને ધમકાવીને લૂંટી રહ્યા છે. આ વીડિયો એ યુવતીએ બનાવ્યો છે જે યુવક સાથે આવી હતી. થોડીવાર ધમકાવ્યા બાદ યુવક પાસેથી જે મળ્યું તે લઈને યુવક જતાં રહે છે તેમની સાથે કારની ચાવી પણ લઈ જાય છે. યુવતી વિનંતી કરે છે પરંતુ આ શખ્સો તેમને ચાવી આપતા નથી અને બાઈક લઈને ફરાર થઈ જાય છે. વીડિયોમાં યુવતી બંને બાજુનો રસ્તો પણ બતાવે છે જે એકદમ સુમસાન ભાસી રહ્યો છે. એટલે કે, યુવકોએ આયોજન પૂર્વક આ લોકોને અવાવરું જગ્યાએ રોક્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 1 મીનિટ અને 7 સેકન્ડના આ વીડિયોથી સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે.
ख़ौफ़नाक…वीडियो अगर सही है तो@RajPoliceHelp @UdaipurPolice कार्रवाई करें…!!!
— L.P. Pant (@pantlp) June 12, 2021
pic.twitter.com/h3M6sbHn3g
દાવો કરાયો છે કે, આ વીડિયો ઉદયપુરનો છે. જ્યાં એક દંપતીને 5-6 શખ્સોએ લૂંટી લીધું હતા. આ વીડિયો વાયરલ થયા બાદ ઉદયપુર પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
વીડિયો વાયરલ થયાના થોડા સમય બાદ ઉદયપુર પોલીસે પણ એક ટ્વીટ કર્યું હતું. જેમા માહિતી આપી હતી કે દંપતીને લૂંટનારા ત્રણ શંકાસ્પદ આરોપીને ઝડપી લેવાયા છે.
In this regard case registered at ps ambamata and 10 teams constituted to arrest accused. 3 suspects detained. A separate check post established at badi lake and a separate lady petrol for this area. CCTV cameras installation is in progress in this area.
— Udaipur Police (@UdaipurPolice) June 12, 2021
ઉદયપુર પોલીસે ટ્વીટ સંદેશમાં કહ્યુ હતું કે, આ મામલે અંબામાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આરોપીઓને તાત્કાલિક પકડવા માટે 10 ટીમ બનાવી છે. 3 શંકાસ્પદોને ઝડપી લેવાયા છે. મોટા તળાવ પછી એક અલગ ચેકપોસ્ટ બનાવી દેવાઈ છે અને લેડી પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. CCTC કેમેરા લગાવવાનું કામ પણ ચાલું છે.
રાજસ્થાનમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરી વધી રહી છે. ગયા મહિને રાજસ્થાનના ભરતપુરમાં એક ડૉક્ટર દંપતીની ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 5 જૂને હનુમાનગઢમાં એક યુવકની પીટાઈ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. આ વિવાદ બાબા સાહેબ આંબેડકરનું બેનર ફાડવાથી શરૂ થયો હતો. હવે ઉદયપુરની આ ઘટના સામે આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત