Team Chabuk-National Desk: ગઈકાલે લાગતું હતું કે તંત્ર શામ,દામ, દંડ, ભેદથી કોઈપણ કાળે આંદોલનકારી ખેડૂતોને હટાવીને જ શ્વાસ લેશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તંત્રને તમામ જિલ્લામાં આંદોલન સ્થળેથી ખેડૂતોને હટાવવાનો આદેશ પણ આપી દીધો હતો. પોલીસે આંદોલન સ્થળ પર ખેડૂતો સામે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ પણ ચીપકાવી દીધી હતી. ગાઝીપુર બોર્ડર પર તો તંત્રએ વીજળી અને પાણીની સપ્લાય પણ બંધ કરી દીધી. જેથી ખેડૂતો પોતાનો સામાન લઈને ભાગવા લાગ્યા હતા. આંદોલન સ્થળ પર ખેડૂતોની સંખ્યા ઘટવા લાગી પરંતુ મોડી રાત સુધીમાં માહોલ બદલાય ગયો. ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો ફરી પરત ફરી રહ્યા છે. રાકેશ ટિકેતની ભાવુક અપીલ બાદ આખો માહોલ બદલાય ગયો. ગાઝીપુર બોર્ડર પર રાકેશ ટિકેતના સમર્થનમાં ખેડૂતો એકઠાં થવા લાગ્યા છે.
Agitating farmers raise slogans ‘Jai Jawan, Jai Kisan’, ‘Inquilab Zindabad’ at Ghazipur border (Delhi-Uttar Pradesh); visuals from early morning.
— ANI (@ANI) January 29, 2021
Uttar Pradesh Police and Provincial Armed Constabulary (PAC) deployed left the protest site late last night. https://t.co/V9FzAA2dXJ pic.twitter.com/UABDcL08UD
બોર્ડર પર રાત્રે પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો તે પણ હવે દૂર કરી દેવાયો છે. ગાઝીપુર બોર્ડર પરથી પોલીસ બંદોબસ્ત પણ દૂર કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોએ આખી રાત ગાઝીપુર બોર્ડર પર જ વીતાવી હતી. હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો ગાઝીપુર બોર્ડર તરફ આવતા નજરે પડી રહ્યા છે.
Uttar Pradesh police and Provincial Armed Constabulary (PAC) deployed at Ghazipur border since yesterday evening, leaves the protest site in police and PAC vehicles. pic.twitter.com/SSYnnRczdZ
— ANI UP (@ANINewsUP) January 28, 2021
રાકેશ ટિકેતના ગામમાં આજે મહાપંચાયત
26 જાન્યુઆરીએ દિલ્હીમાં મચેલી અફરાતફરી બાદ કેટલાક ખેડૂત સંગઠનોએ આંદોલન પૂરું કરવાનું નક્કી કરી લીધું હતું. લાગતું હતું કે આંદોલન બેરંગ બની રહ્યું છે પરંતુ 28 જાન્યુઆરીએ રાકેશ ટિકેતે મીડિયા સાથેની વાતચીતમાં રડતાં રડતાં સરકાર પર જે આરોપ લગાવ્યા અને આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી તેણે આખો માહોલ બદલી નાખ્યો. આ તરફ રાકેશ ટિકેતના મોટા ભાઈ નરેશ ટિકેતે ટ્વિટ કરીને કહ્યું કે, રાકેશ ટિકેતના આ આંસુ વ્યર્થ નહીં જાય. સવારે મહાપંચાયત થશે અને અમે આ આંદોલનને નિર્ણાયક સ્થિતિ સુધી પહોંચાડીને જ શ્વાસ લઈશું.
हरियाणा के गाँव-गाँव से किसान भाई ग़ाज़ीपुर बॉर्डर की तरफ चल पड़े हैं। अब तो तीनों काले कानूनों का निपटारा करके ही घर लौटेंगे।
— Naresh Tikait (@NareshTikait_) January 28, 2021
बाबा टिकैत का एक-एक सिपाही दिल्ली कूच करे! pic.twitter.com/HLglFoTSM0
વિપક્ષનું સમર્થન
આ તરફ રાકેશ ટિકેત અને ખેડૂત આંદોલનના સમર્થનમાં વિપક્ષ પણ ઉતર્યું છે. કોંગ્રેસ નેતા ડૉ. ઉદિત રાજે પણ ટ્વિટ કરીને ખેડૂતોને આંદોલન સ્થળે મોટી સંખ્યામાં પહોંચવા અપીલ કરી હતી.
इस समय रात के 12.40 बजे हैं।11 बजे रात तक लग रहा था कि लोग कम हैं और पुलिस ख़ाली करा देगी लेकिन 2 घंटे के अंदर संख्या बढ़ गई।जिसे ये ट्वीट मिले , दूसरों को कहें जल्दी से पहुँचने की कोशिश करें।@INCIndia
— Dr. Udit Raj (@Dr_Uditraj) January 28, 2021
આમ આદમી પાર્ટીના સંજય સિંહે પણ ટ્વિટ કરીને લખ્યું કે, ‘રાકેશ ટિકેત સાથે ફોન પર વાત કરી છે અને અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે ખેડૂતોની સાથે છે. ટિકેતજીએ કહ્યું હતું કે, ખેડૂતો સાથે સરકારે દગો કર્યો છે, ખેડૂતો પર હુમલો કરવાનું ષડયંત્ર છે, તંત્રએ પાણી બંધ કરી દીધું છે, શૌચાલય પણ હટાવી દીધા છે, સરકારની તાનાશાહી સામે સંસદમાં આમ આદમી પાર્ટી ખેડૂતોનો મુદ્દો ઉઠાવશે.’
राकेश टिकैत जी से फ़ोन पर बात हुई @ArvindKejriwal जी और AAP पूरी तरह किसानो के साथ हैं टिकैत जी बोले “किसानो के साथ सरकार ने ग़द्दारी की है किसानो पर हमले की साज़िश है प्रशासन ने पानी बंद करा दिया शौचालय तक हटवा दिया” तानाशाही मुर्दाबाद कल संसद में AAP किसानो का मुद्दा उठायेगी।
— Sanjay Singh AAP (@SanjayAzadSln) January 28, 2021
રાહુલ ગાંધીએ પણ ગઈકાલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, એક સાઈડ પસંદ કરવાનો સમય છે. મારો નિર્ણય સ્પષ્ટ છે. હું લોકતંત્રની સાથે છું, હું ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ આંદોલનની સાથે છું.
एक साइड चुनने का समय है।
— Rahul Gandhi (@RahulGandhi) January 28, 2021
मेरा फ़ैसला साफ़ है। मैं लोकतंत्र के साथ हूँ, मैं किसानों और उनके शांतिपूर्ण आंदोलन के साथ हूँ।
રાકેશ ટિકેતે શું કહ્યું હતું
ગઈકાલે ગાઝીપુર બોર્ડર પર તંત્ર અને રાકેશ ટિકેત વચ્ચેની વાર્તા નિષ્ફળ ગયા બાદ રાકેશ ટિકેતે ભાજપ અને તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. રાકેશ ટિકેતે કહ્યું હતું કે, ‘આંદોલન ચાલુ જ રહેશે.’ મીડિયા સામે વાતચીત દરમિયાન રડતાં રડતાં ટિકેતે કહ્યું કે, ‘જો ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ.’ તેમણે કહ્યું હતું કે, ‘હું ખેડૂતોને બરબાદ થવા નહીં દઉં. ખેડૂતોને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અત્યાચાર થઈ રહ્યો છે. અને જો મને કંઈ પણ થયું તો તેની જવાબદારી તંત્રની રહેશે.’
હાલ બોર્ડર પરનો માહોલ જોતા લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશની સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. ખેડૂતોમાં ફરીથી જોમ ભરાવા લાગ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર પરત ફરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત