Homeગામનાં ચોરેદેશભરમાં 1,515 IASની અછત, જાણો ગુજરાતમાં કેટલી જગ્યા ખાલી પડી છે?

દેશભરમાં 1,515 IASની અછત, જાણો ગુજરાતમાં કેટલી જગ્યા ખાલી પડી છે?

Team Chabuk-National Desk: સંસદની એક સમિતિએ દેશમાં ઘટી રહેલા IAS અધિકારીઓની સંખ્યા અને પર્યાપ્ત નિયુક્તિ ન થવા પર ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું છે કે દેશમાં 22 ટકાથી વધારે IAS અધિકારીઓની અછત છે. જે ઉત્કૃષ્ટ શાસન વ્યવસ્થા માટે ઉચિત નથી. સમિતિએ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે આ દિશામાં તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને ભારતીય પ્રશાસનની જરુરિયાતોને ધ્યાનમાં રાખતા સ્વીકૃત પદોને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે.

કાર્મિક, લોક ફરિયાદ અને કાયદા અને ન્યાય સંબંધિત સંસદીય સમિતિની 112મી રિપોર્ટ મુજબ દેશભરમાં આઈએએસ અધિકારીઓ માટે સ્વીકૃત પદોની સંખ્યા 6,746 છે. જેમાં સીધી નિયુક્તિ માટે 4, 682 પદ અને પ્રમોશન માટે 2,064 પદનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર, 1 જાન્યુઆરી 2021 સુધીમાં 5, 231 પદ ભરાયેલા હતા. જેમાંથી 3,787 પદ સીધી નિયુક્તિથી ભરવામાં આવ્યા હતા અને 1,444 પદ પર પ્રમોટ કરી IAS ઓફિસર બનાવવામાં આવ્યા હતા. આ રીતે દેશભરમાં 1,515 IAS અધિકારીના પદ ખાલી પડ્યા છે. જે સ્વીકૃત પદની તુલનામાં 22.45 ટકા છે.

shreeji dhosa

અંતિમ વખત વર્ષ 2012માં સિવિલ સર્વિસની પરીક્ષામાં આઈએએસ અધિકારીઓની સંખ્યા વધારીને 180 કરવામાં આવી હતી. ત્યારથી આ જ નિયમ ચાલી રહ્યો છે અને દરેક વર્ષે સિવિલ સર્વિસની પરીક્ષા હેઠળ અધિકતમ 180 લોકોને IAS ઓફિસર બનાવવામાં આવે છે. સંસદીય સમિતિએ આ અંગેનો સવાલ કર્યો તો કેન્દ્ર સરકારે જણાવ્યું કે તેમણે IAS અધિકારીઓની સંખ્યામાં વૃદ્ધિ કરવાના સંબંધે એક કમિટિનું ગઠન કર્યું છે. જે IAS કેડરની જરુરિયાતોના હિસાબે રિપોર્ટ સબમિટ કરશે.

ક્યાં કેટલા પદ ખાલી?

રાજ્યજરૂરિયાત
આંધ્રપ્રદેશ45
અસમ-મેઘાલાય76
છત્તીસગઢ37
ગુજરાત63
હરિયાણા34
હિમાચલ પ્રદેશ31
જમ્મુ કાશ્મીર78
ઝારખંડ67
કર્ણાટક72
કેરળ74
મહારાષ્ટ્ર77
મધ્યપ્રદેશ69
ઓડિશા62
રાજસ્થાન72
તમિલનાડુ54
તેલંગણા44
પશ્ચિમ બંગાળ80
ઉત્તરાખંડ31
ત્રિપુરા41
સિક્કિમ9
નાગાલેન્ડ35
મણિપુર28

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments