Team Chabuk-Sports Desk: ભારત અને નેધરલેન્ડની મેચ પહેલા સારા સમાચાર મળ્યા છે. સિડનીનું વાતાવરણ સાફ થયું છે. આકાશમાં ઘેરાયેલા વાદળો પણ વિખેરાયા છે. હવામાન વિભાગનું માનીએ તો મેચ દરમિયાન પણ વરસાદનો ખતરો નહીવત છે. એટલે એકવાર ફરી મેદાન પર ભારતીય ટીમનો ‘હાઈ જોશ’ જોવા મળશે.
મહત્વનું છે કે બંને ટીમ પોતાની બીજી મેચ રમવા મેદાને ઉતરશે. ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે હતી જેમાં ભારતની જીત થઈ હતી જ્યારે નેધરલેન્ડની પહેલી મેચ બાંગ્લાદેશ સામે હતી જેમા તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
Preps ✅#TeamIndia ready to hit the ground running. 👍 👍#T20WorldCup | #INDvNED pic.twitter.com/5P1GRAOzmf
— BCCI (@BCCI) October 27, 2022
પીચ રિપોર્ટ પર નજર કરીએ તો સિડનીનું ગ્રાઉન્ડ ગુડ સ્કોરિગ છે. પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર 163 છે જ્યારે બીજી ઈનિંગનો એવરેજ સ્કોર 138 રન છે. આ ગ્રાઉન્ડ પર 225 રન હાઈએસ્ટ છે. પીચ સ્પીનર્સ માટે પણ અનુકૂળ છે.
આ મેદાન પર ચેઝના મામલે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. ટીમ ઈન્ડિયાએ 2016માં ઓસ્ટ્રેલિયા સામે અહીં 200 રનના લક્ષ્યનો પીછો કરીને જીત મેળવી હતી.
મહત્વનું છે કે, ભારતીય ટીમ નેધરલેન્ડને ચોક્કસપણે હળવાસથી નહીં લે. કારણ કે, વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ મેચોમાં નેધરલેન્ડ્સે યુએઈ અને નામિબિયાને હરાવીને ત્રણમાંથી બે મેચ જીતી હતી. નામિબિયા એ જ ટીમ છે જેણે ગ્રુપ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો નેધરલેન્ડના બોલરોએ બાંગ્લાદેશને 20 ઓવરમાં 144 રન પર રોકી દીધું હતું. બાંગ્લાદેશ માંડ 9 રનથી જીતી શક્યું હતું.
It’s Match-Day! 👌 👌#TeamIndia all set to take on Netherlands in their 2⃣nd game of the #T20WorldCup! 👍 👍#INDvNED pic.twitter.com/w9QlLbFGE9
— BCCI (@BCCI) October 27, 2022
ભારતની સંભવિત ઈલેવન
રોહિત શર્મા ( કેપ્ટન ), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, અર્શદીપ સિંહ
નેધરલેન્ડની સંભવિત ઈલેવન
મેક્સ ઓડૉડ, વિક્રમજીત સિંહ, બાસ ડી લીડ, ટૉમ કૂપર, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ, રૂલોફ વેન ડેર મેર્વે, ટીમ પ્રિંગલ, ટીમ વાર ડેન ગુટન, ફ્રેડ ક્લાસેન, પૉલ વૈન મીકેરેન
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ