Team Chabuk-Sports Desk: T20 World Cupમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. સુપર-12માં 5માંથી 4 મેચમાં જીત મેળવી પોઈન્ટ્સ ટેબલ પર ભારતીય ટીમ (Team India ) ટોચ પર બિરાજમાન છે. હવે ભારતની નજર સેમીફાઈનલમાં અંગ્રેજોને હરાવવા પર છે અને તેના માટે જ રોહિત શર્મા ટીમમાં મજબૂત ખેલાડીઓ સાથે ક્રિકેટના જંગમાં ઉતરશે.
ઝિમ્બાબ્વે સામે 71 રનથી જીત મેળવી છે. આગામી સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે 10 નવેમ્બરના રોજ એડિલેડ સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સેમીફાઈનલમાં બે મોટા ફેરફાર કરી શકે છે. ટીમમાં ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીને સેમીફાઈનલમાં બહાર બેસવું પડી શકે છે. એટલે કે, અત્યાર સુધી બહાર બેસેલા અન્ય ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
ઝિમ્બાબ્વે સામે રિષભ પંતને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તે ફક્ત 5 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. તે ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો છે. જેથી સેમી ફાઈનલ જેવી મહત્વની મેચમાં તેને બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને ફરી એક વખત દિનેશ કાર્તિકને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવશે.
આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન પણ એક મેચ સિવાય કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. તેણે ઝિમ્બાબ્વે સામેની મેચમાં 3 વિકેટ લીધી છે પરંતુ જ્યારે ભારતીય ટીમને મધ્ય ઓવરમાં વિકેટની જરૂર હતી ત્યારે તે અપાવી શક્યો નથી. આ પહેલાની મેચોમાં પણ તે નિષ્ફળ રહ્યો છે. જેથી મુખ્ય સ્પીનર યુઝવેન્દ્ર ચહલને હવે સામેલ કરવામાં આવી શકે છે.
બે મોટા ફેરફાર સાથે ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઉતરી શકે છે. હાલ ભારત અને ઈંગ્લેન્ડ બે પૈકી ભારતને જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જો કે, ક્રિકેટ અસમંજસતાની રમત છે તેમાં કઈ પણ થઈ શકે છે. ભારતીય ટીમ સેમીફાઈનલ જીતીને ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવી શકે છે અને ફાઈનલમાં જીતી ટી-20 વિશ્વ કપનો ખિતાબ પણ પોતાના નામે કરી શકે છે. ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 13 નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
