Homeગામનાં ચોરેTET Mandatory : શિક્ષકોને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, નોકરી બચાવવી હોય...

TET Mandatory : શિક્ષકોને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, નોકરી બચાવવી હોય તો પાસ કરવી પડશે આ પરીક્ષા

Team Chabuk-National Desk: દેશમાં શિક્ષણ ક્ષેત્રને લગતો એક મોટો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું કે શિક્ષણ સેવામાં રહેવા અને પ્રમોશન મેળવવા માટે હવે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ફરજિયાત રહેશે. લઘુમતી સંસ્થાઓ માટે આ મામલો મોટી બેન્ચને મોકલવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ વતી ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે 1 સપ્ટેમ્બરના રોજ શિક્ષક પાત્રતા પરીક્ષા અંગે મોટો નિર્ણય આપ્યો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જેમની પાસે 5 વર્ષથી વધુ સેવા બાકી છે તેમણે ફરજિયાતપણે TET પાસ કરવી પડશે. TET અંગે સુપ્રીમ કોર્ટના આ આદેશને શિક્ષણ પ્રણાલીમાં ગુણવત્તા અને જવાબદારી સુનિશ્ચિત કરવા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. જોકે, જે શિક્ષકોની નિવૃત્તિમાં 5 વર્ષથી ઓછી સેવા બાકી છે તેઓ TET પાસ કર્યા વિના પણ નોકરીમાં રહી શકે છે. પરંતુ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જે શિક્ષકો પરીક્ષા પાસ કરી શકશે નહીં તેઓ કાં તો સેવા છોડી શકે છે અથવા ફરજિયાત નિવૃત્તિ લઈ શકે છે અને ટર્મિનલ લાભ મેળવી શકે છે. આ નિર્ણય તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોની અરજીઓ અંગે આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે 2010 માં, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુંકેશન (NCTE) એ લઘુત્તમ લાયકાત નક્કી કરી હતી કે ધોરણ 1 થી 8 સુધીના શિક્ષકો માટે નિમણૂક માટે TET પાસ કરવું જરૂરી રહેશે. ત્યારથી, આ પરીક્ષાને કોઈપણ શિક્ષકની શિક્ષણ ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું એક માધ્યમ માનવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે શું રાજ્ય સરકારો લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપનારાઓ માટે TET ફરજિયાત બનાવી શકે છે અને તે તેમના અધિકારોને કેટલી હદ સુધી અસર કરશે, તેનો નિર્ણય હવે મોટી બેન્ચ દ્વારા લેવામાં આવશે. એટલે કે, આ કેસ સુપ્રીમ કોર્ટની જ મોટી બેન્ચને મોકલવામાં આવ્યો છે.

TET

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments