Team Chabuk National Desk : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર સ્ટે મૂકી દીધો છે. અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ ન થાય ત્યાં સુધી આ ત્રણેય કૃષિ કાયદા પર સ્ટે રહેશે. કૃષિ કાયદાની અમલવારી પર સુપ્રીમ કોર્ટે લગાવેલી રોક ખેડૂતોની મોટી જીત માનવામાં આવી રહી છે.
सुप्रीम कोर्ट में संसद द्वारा पारित तीन कृषि कानूनों को चुनौती देने और दिल्ली की सीमाओं से किसानों को हटाने की कई याचिकाओं पर सुनवाई शुरू हुई। pic.twitter.com/wYScMpinb6
— ANI_HindiNews (@AHindinews) January 12, 2021
સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર રોક લગાવીને ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. જેમાં ભારતીય કિસાન યુનિયનના જીતેન્દ્રસિંહ, એઆઈકેસીસીના પ્રમોદ જોશી, મહારાષ્ટ્ર શેતકારી સંગઠનના અનિલ ધનવંત અને કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીની નિયુક્તિ કરી છે. ચારેય સભ્યોની આ કમિટી કૃષિ કાયદા પર અભ્યાસ કરશે. સાથે જ ખેડૂતો અને સરકાર વચ્ચે કાયદાને લઈને જે વિવાદ સર્જાયો છે તેને સમજશે અને બાદમાં સંપૂર્ણ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપશે.
सुप्रीम कोर्ट ने बातचीत के लिए एक कमेटी बनाई है। #FarmLaws https://t.co/lc1Nf5aQWX
— ANI_HindiNews (@AHindinews) January 12, 2021
સુનાવણી દરમિયાન ખેડૂતો તરફથી શરૂઆતમાં કહેવામાં આવ્યું કે તેઓ કમિટી સમક્ષ હાજર નહીં થાય. જો કે સુપ્રીમ કોર્ટે કડકાઈ દાખવી અને કહ્યું કે જો સમસ્યાનું સમાધાન લાવવું હશે તો કમિટી સમક્ષ હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે કોઈ પણ મુદ્દો હશે તો કમિટી સમક્ષ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે કમિટી કોઈ મધ્યસ્થતા કરાવવાનું કામ નહીં કરે પરંતુ તે નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ઉલ્લેખનીય છે કે ગત્ત દિવસોમાં થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી અદાલતમાં કૃષિ કાયદાના અમલીકરણમાં રોક લગાવતા આપત્તિ વ્યક્ત કરી હતી. સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આમ કરવું એ યોગ્ય નથી. હાલમાં સરકાર અને ખેડૂતોની વચ્ચે વાતચીત થઈ રહી છે. જોકે સામે કોર્ટે પણ કહ્યું હતું કે, લાંબા સમયથી કોઈ પરિણામ નથી નીકળ્યું સરકાર ઠીક નથી કરી રહી.
કાયદા પર સ્ટે નહીં પરત લોઃ ખેડૂત
સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલા એક ખેડૂતે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટની રોક લગાવવાથી કોઈ ફાયદો નથી. કેમ કે આ એક સરકારનો પ્રયાસ છે કે અમારું આંદોલન બંધ થઈ જાય. આ સુપ્રીમ કોર્ટનું કામ નથી, સરકારનું કામ છે. સંસદનું કામ છે અને સંસદ આ કાયદાને પરત લે. જ્યાં સુધી સંસદમાં આ કાયદાઓ પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે’
सुप्रीम कोर्ट के रोक का कोई फायदा नहीं है क्योंकि यह सरकार का एक तरीका है कि हमारा आंदोलन बंद हो जाए। यह सुप्रीम कोर्ट का काम नहीं है यह सरकार का काम था, संसद का काम था और संसद इसे वापस ले। जब तक संसद में ये वापस नहीं होंगे हमारा संघर्ष जारी रहेगा: सिंघु बॉर्डर से एक किसान https://t.co/lc1Nf5aQWX pic.twitter.com/7mUbuVYfWu
— ANI_HindiNews (@AHindinews) January 12, 2021
હાજર થવું પડશે
સુપ્રીમ કોર્ટે પણ સાફ કહ્યું છે કે કમિટી કોઈ મધ્યસ્થી કરાવવાનું કામ નહીં કરે. એ નિર્ણાયક ભૂમિકા ભજવશે. કમિટી કાયદાનું સમર્થન અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે વાતચીત કરશે. બંને પક્ષને સાંભળવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ કાયદાને સસ્પેન્ડ કરવા તૈયાર છે. પણ કોઈ લક્ષ્ય વિના નહીં. જો ખેડૂતો સમસ્યાનું નિરાકરણ ઈચ્છતા હોય તો તેમને કમિટી સામે હાજર થવું પડશે.
चीफ जस्टिस ऑफ इंडिया ने कहा कि हम एक कमेटी बना रहे हैं ताकि हमारे पास एक स्पष्ट तस्वीर हो. हम यह तर्क नहीं सुनना चाहते कि किसान कमेटी में नहीं जाएंगे। #Farmerslaws
— ANI_HindiNews (@AHindinews) January 12, 2021
આંદોલનનું અર્ધશતક
દિલ્હી બોર્ડર પર ખેડૂતો 50 દિવસથી આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રાજ્યોમાંથી હજ્જારો ખેડૂતો ઉમટી પડ્યા. જેમાં બાળકોથી લઈને વૃદ્ધો પણ સામેલ છે. અત્યાર સુધીમાં અસંખ્ય ખેડૂતો મોતને ભેટી ચૂક્યા છે. જેમાં કેટલાક ખેડૂતોએ ઠંડીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક ખેડૂતોએ બિલના વિરોધમાં આત્મહત્યા કરી છે. કૃષિ કાયદાના સંકટને દૂર કરવા માટે અત્યાર સુધી ખેડૂતો અને સરકાર અગણિત વખત બેઠકો પણ કરી જોકે ઘીના ઠામમાં ઘી નથી ઢળ્યું. ખેડૂતો સરકારની વાત માનવા તૈયાર નથી અને સરકાર ખેડૂતોની વાત માનવા માટે તૈયાર નથી. આ કારણે રસ્સાકસ્સી જેવી સ્થિતિ સર્જાય છે કે કોઈ દોરડું છોડવા નથી માગતું. ખેડૂતો ત્રણે કાયદાઓને પરત લેવા પર અડગ છે જ્યારે સરકાર આ કાયદાઓમાં સંશોધન કરવા માગે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત