Team Chabuk-Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 2021માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રદ્દ થયેલી પાંચમી ટેસ્ટનું શેડ્યુલ સામે આવી ગયું છે. 1 જુલાઈ 2022થી ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચમી ટેસ્ટ રમાશે. પાંચમી ટેસ્ટનું આયોજન માન્ચેસ્ટરની જગ્યાએ એઝબેસ્ટનમાં કરવામાં આવ્યું છે. આઈસીસીએ આ વાતની અધિકૃત જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી આપી હતી.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઈની આંતરિક સહમતિ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પાંચ ટેસ્ટમેચની સિરીઝમાં હાલ 2-1થી આગળ છે. એવામાં આગામી વર્ષે ભારતીય ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. એક ટેસ્ટ મેચ સિવાય ઈંગ્લેન્ડ અને ઈન્ડિયાની વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝ અને ટી ટ્વેન્ટી સિરીઝ પણ રમાશે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટના ચીફ એક્ઝિક્યૂટિવ ટોમ હેરિસને કહ્યું કે, ‘અમે ખૂબ જ ખુશ છીએ કે ECB અને BCCIની વચ્ચે સહમતિ સધાઈ ચૂકી છે. જેથી એક શાનદાર સિરીઝની સારી રીતે સમાપ્તિ થાય. અમે એ તમામ વેન્યૂઝના આભારી છીએ. જેમણે આ સ્પર્ધાને રિશેડ્યૂલ કરવામાં અમારી સહાયતા કરી. અમે ક્રિકેટ સાઉથ આફ્રિકાનો પણ આભાર માનીશું, જેમણે આ પરિવર્તનને પૂર્ણ કરવામાં મદદ કરી. સપ્ટેમ્બરમાં મેચ રદ્દ થવા પર દર્શકગણોની માફી માગીએ છીએ.’

જે એઝબેસ્ટનના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંતિમ મેચ રમાવાની છે તેનો ઈતિહાસ ભારતના ત્રાજવામાં નથી. 1967થી અત્યાર સુધી ભારત એ મેદાન પર સાત મેચ રમી ચૂક્યું છે. જેમાંથી 6માં ઈંગ્લેન્ડની જીત થઈ છે. એક મેચ ડ્રોમાં પરિણમ્યો છે. 2018ની સાલમાં બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ રમાઈ હતી. જેમાં પણ ઈંગ્લેન્ડ વિજય થયું હતું. ટીમ ઈન્ડિયા 54 વર્ષના ઈતિહાસમાં અહીં મેચ નથી જીતી શકી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત