Homeગામનાં ચોરેજમ્મૂ-કાશ્મીરઃ બે આતંકી ઠાર, વારપોરમાં છુપાયેલા આતંકીને સેનાએ આવી રીતે શોધ્યા

જમ્મૂ-કાશ્મીરઃ બે આતંકી ઠાર, વારપોરમાં છુપાયેલા આતંકીને સેનાએ આવી રીતે શોધ્યા

Team Chabuk-National Desk:  જમ્મૂ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના વારપોરામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી હથિયાર અને વિસ્ફોટક પણ મળી આવ્યા છે. રાતભર ચાલેલા ઓપરેશનમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા જ્યારે અન્ય આતંકીઓની શોધખોળ શરૂ છે. કાશ્મીરના IG વિજય કુમારે કહ્યું કે, લશ્કરના બે આતંકી મર્યા છે. જેમાં એક ફૈયાઝ વાર અનેક લોકોની હત્યા અને હુમલામાં સામેલ હતો.

સુરક્ષાદળને સૂચના મળી હતી કે વારપોરા વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા છે. આ સૂચના બાદ 22 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારની ઘેરબંધી કરી લીધી હતી. ત્યાં અંદર જવા તેમજ બહાર આવવાના રસ્તાઓ સીલ કરી દીધા હતા. ત્યારબાદ સેનાએ દરેક ઘરની તપાસની કામગીરી શરૂ કરી હતી.

આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળ પર અચાનક હુમલો કરી દીધો હતો. આતંકીઓ અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા. જવાબમાં સેનાએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન આતંકીઓના સંબંધી ઘટનાસ્થળે પહોંચી ગયા. તેઓએ પણ આતંકીઓને સેના સમક્ષ આત્મસમર્પણ કરવા અપીલ કરી. જો કે, સફળતા ન મળી. સુરક્ષાદળે ફ્લડ લાઈટ્સ લગાવવીને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી જેથી આતંકીઓ ફરાર ન થઈ શકે. મોડી રાત સુધી સેના અને આતંકી વચ્ચે ફાયરિંગ ચાલું રહું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી છે. બુધવારે પણ  સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. જુલાઈ મહિનામાં સૌથી વધુ આતંકીગતિવિધિ જોવા મળી. એક ખાનગી અખબારના અહેવાલ મુજબ જુલાઈમાં 20 દિવસમાં 10 વાર સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ જેમાં કુલ 20 આતંકીઓને ઠાર મરાયા છે. આ 20 આતંકીમાંથી 4 આતંકીનું પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું હતું. જ્યારે આ વર્ષ દરમિયાન સેનાએ કુલ 36 ઓપરેશન હાથ ધર્યા જેમાં કુલ 86 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. આ કાર્યવાહીમાં 15 જવાનો શહીદ થયા છે જ્યારે 19 જેટલા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments