Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ અંડર-19 વિશ્વકપની ફાઈનલમાં સતત ચોથી વખત પહોંચી ગઈ છે. હવે તેનો મુકાબલો છે ઈંગ્લેન્ડની ટીમ સામે, જે છેલ્લા 24 વર્ષના ટ્રોફીના દુકાળને નાથવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આ અગાઉ સાત વખત ફાઈનલમાં પહોંચી ચૂકી છે. ચાર ફાઈનલમાં જીત મળી છે તો ત્રણમાં હાર મળી છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2000, 2008, 2012 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે વર્ષ 2006, 2016 અને 2020ની ફાઈનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે વાત 2006ના અંડર-19 વિશ્વકપની કરવાની છે. જે ચેતેશ્વર પુજારાના કારણે યાદ રહી ગયો હતો. ચેતેશ્વરનો એ કિર્તીમાન વિરાટ કોહલીથી લઈ ઉન્મુક્ત ચંદ કે પૃથ્વી શૉ સુધીના ખેલાડીઓ નથી તોડી શક્યા. આ વર્ષે પણ કોઈ ભારતીય ખેલાડી તોડે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ થતો ચેતેશ્વર પુજારા 2006માં અંડર-19 વિશ્વકપનો સભ્ય હતો. તેની સાથે વર્તમાન ભારતીય વનડે અને ટી ટ્વેન્ટીનો કેપ્ટન રોહિત શર્મા પણ હતો. ભારતની ટીમે ઈંગ્લેન્ડને સેમીફાઈનલમાં હરાવ્યું હતું. ફાઈનલમાં તેને પાકિસ્તાનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અંડર-19માં પુજારા આરંભિક બેટ્સમેન તરીકે હતો જ્યારે વર્તમાન ભારતીય ટીમનો ઓપનર રોહિત શર્મા મધ્યમક્રમનો બેટ્સમેન હતો. પુજારાએ ટૂર્નામેન્ટમાં સર્વાધિક 349 રન બનાવ્યા હતા. છ ઈનિંગમાં તેની એવરેજ 116 અને સ્ટ્રાઈક રેટ 82ની હતી. તેણે રોહિત શર્મા કરતા પણ વધારે રન બનાવ્યા હતા. રોહિત શર્માએ છ ઈનિંગમાં 41ની એવરેજ અને 77ના સ્ટ્રાઈક રેટની સાથે 206 રન બનાવ્યા હતા. જોકે આગળ જતા પુજારા વનડે અને ટી ટ્વેન્ટીના બેટ્સમેન તરીકે કારકિર્દી બનાવવામાં નિષ્ફળ પૂરવાર થયો હતો, પણ ટેસ્ટમાં તેણે પોતાનો દબદબો કાયમ રાખ્યો.
પુજારાએ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમની વિરૂદ્ધ 146 બોલમાં દસ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ 129 રન બનાવ્યા હતા. પુજારાની એ ઈનિંગ કોઈ ભારતીય પ્લેયર દ્વારા નોકઆઉટ રાઉન્ડમાં રમવામાં આવેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે. જે રેકોર્ડ આજે પણ અકબંધ છે. હવે આ વખતે ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે ફાઈનલ છે ત્યારે સૌની નજર આ કિર્તીમાન પર છે. યશ ધૂલ શાનદાર ફોર્મમાં છે. જો તેણે ફરી સેમીફાઈનલ જેવા પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું તો આ કિર્તીમાન તૂટી શકે છે. યશ ધૂલ સિવાય હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી અને શેખ રશીદ પણ રેકોર્ડ તોડવા માટે ક્રમમાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
