Team Chabuk-National Desk: દેશમાં ફરી એકવાર અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેણે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ વખતે ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. ઉત્તરપ્રદેશના બરેલીમાં 4 વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો આવ્યો છે. પીડિતાની કાકી અને તાંત્રિક ભેગા મળીને કાળા જાદુના ચક્કરમાં 4 વર્ષની બાળકીની હત્યા કરી નાખી હોવાનો દાવો છે. જે બાદ બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને મૂકી રાખ્યો હતો.
બરેલીના એક ગામમાં તાંત્રિક વિધિ કરવા માટે ચાર વર્ષની બાળકીની હત્યા કરવા બદલ પીડિતાની કાકી અને એક તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચાર વર્ષની બાળકી મિસ્ટીના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે કાર્યવાહી કરી અને બાળકીની કાકીના ઘરેથી તેનો મૃતદેહ કબજે કર્યો. મિસ્ટી શનિવારે શિકારપુર ચૌધરી ગામમાં તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તેના પરિવારજનોએ ઈજ્જત નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બાળકીની કાકી સાવિત્રીએ કોઈને પણ તેના ઘરમાં આવવા દેતી નહોતી આથી પોલીસને વધારે શક પડ્યો હતો અને આખરે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને સાવિત્રીના ઘેર દરોડા પાડ્યાં હતા અને ત્યારે બોરવેલ પાસે રાખેલી બોરીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાવિત્રી અને તાંત્રિક ગંગારામે “કાળા જાદુ સંબંધિત ધાર્મિક વિધિઓ” માટે છોકરીની હત્યા કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસની તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ