Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડે 17 સપ્ટેમ્બરના રોજ રાવલપિંડીમાં થનારી પ્રથમ વનડે મેચ યોજાવાના કેટલાક કલાકો પૂર્વે જ પ્રવાસ રદ કરી દેતા પાકિસ્તાનની ફરી વિશ્વ ક્રિકેટમાં નામોશી થઈ છે. ન્યૂઝીલેન્ડે આ નિર્ણય સરકારના સુરક્ષા એલર્ટ બાદ લીધો છે. પ્રવાસ રદ થયા બાદ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સિક્યોરિટી અને બોમ્બ સ્ક્વોડે તપાસ આદરી હતી. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમે આ પ્રવાસમાં ત્રણ વનડે અને પાંચ ટી ટ્વેન્ટી મેચ રમવાના હતા.
બંને દેશોની વચ્ચે યોજાનારી આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસિન્ડા એર્ડર્ને કિવી ટીમ પર હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે આ સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીને નિશ્ચિત રહેવાનું આશ્વાસન આપ્યું હતું. બીજી બાજુ ઈમરાન ખાનને જવાબ આપતા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એવી ખબરો છે કે એક વખત હોટલથી બહાર નીકળતા જ અમારી ટીમ પર હુમલો થઈ શકે છે.
પ્રવાસ રદ થયા બાદ પાકિસ્તાનના સુરક્ષાકર્મીઓ અને બોમ્બ સ્ક્વૉડ મેદાનનું પરિક્ષણ કરતા જોવા મળ્યા હતા. રાવલપિંડીના મેદાનમાં ચાલી રહેલા આ પરિક્ષણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થયો હતો. જોકે હજુ સુધી સુરક્ષાકર્મીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું.
#Pakistani security forces and Bomb disposal squads conducting search operations and sanitising cricket stadium. pic.twitter.com/FDEe4QvlhB
— Indian Military News (@indmilitarynews) September 17, 2021
ન્યૂઝીલેન્ડની ટીમ અઢાર વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસ પર આવી હતી. આ પ્રવાસમાં કિવી ટીમને વિરોધી પાકિસ્તાનની ટીમની સામે ત્રણ વનડે મેચ રમવાના હતા. આ તમામ મેચ રાવલપિંડીમાં યોજાવાના હતા. એ પછી બંને ટીમ પાંચ આંતરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી રમવાની હતી. આ તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાવાના હતા. જોકે હવે મેચ રદ થવાના કારણ પાકિસ્તાન ધડાધડ નિવેદનો આપી પોતાની શાખ બચાવવા મેદાને પડ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત