Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગાયને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગાયના ગોબર (છાણ) અને ગૌમૂત્રને આર્થિક દૃષ્ટીકોણથી ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઈન્ડિયન વેટનરી એસોસિએશનની મહિલા વિંગના એક સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે ગાયના છાણ અને મૂત્ર થકી રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવામાં સહાયતા મળી શકે છે.
આ ઘટના સંબિધિત એક વીડિયો સમાચાર એજન્સી ANI દ્વારા તેમના ટ્વીટર પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના સીએમ ગાયના ગોબર અને મૂત્રનું અનેરું મહત્વ સમજાવતા દેખાય છે. સીએમએ સમ્મલેનમાં કહ્યું કે ગાય અને બળદ વિના કામ નહીં ચાલી શકે. સરકારે અભ્યારણ્ય અને ગૌશાળાઓ બનાવી છે. પણ જ્યાં સુધી સમાજ નહીં જોડાય, ત્યાં સુધી ગૌશાળાઓથી કામ નહીં ચાલે.
તેમણે ગાયના છાણનું મહત્વ સમજાવતા કહ્યું કે મધ્યપ્રદેશમાં અલખ જગાવવાની કોશિશ કરી રહ્યા છીએ. હવે તો ગાયના ગોબરથી ઉર્વરક અને કીટનાશક પણ બની રહ્યા છે. તેમણે પોતાની વાત પર વજન લાવતા કહ્યું કે, ગોબર અને ગૌમૂત્રથી અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકીએ છીએ. દેશને આર્થિક રૂપથી સક્ષમ બનાવી શકીએ છીએ. અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે મધ્યપ્રદેશના સ્મશાન ઘાટ પર લાકડાઓ ન સળગે.
#WATCH | Cows, their dung and urine can help strengthen the economy of the state and the country if a proper system is put in place,” says Madhya Pradesh CM Shivraj Singh Chouhan while addressing a convention of the women’s wing of Indian Veterinary Association in Bhopal pic.twitter.com/Mf2yvmYsf0
— ANI (@ANI) November 13, 2021
કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ કહ્યું કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ ગૌપાલન સાથે જોડાયેલી છે. અને તેના પરિણામ સ્વરૂપ ડેરી વ્યવસાયમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત