Team Chabuk-Sports Desk: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમ સાતથી 11 જૂન સુધી થનારી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉતરશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાવા જઈ રહી છે. ફાઈનલમાં રહાણે પણ રમતો જોવા મળશે. ભારતના અનુભવી બેટ્સમેન અંજિક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. ભારત માટે કેટલીય મેચમાં કપ્તાની કરી ચુકેલા રહાણેની 15 મહિના બાદ ટીમ ઈંડિયામાં વાપસી થઈ છે.રહાણેને ગત વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ બહાર કરી દેવાયો હતો. હાલ IPL ચાલી રહી છે તેમા અજિંક્યે રહાણે ફૂલ ફોર્મમાં ચાલી રહ્યો છે.
અજિંક્ય રહાણે 11 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમ્યો હતો. આ મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવાયો હતો. રહાણેના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 82 ટેસ્ટમાં 38.52ની એવરેજથી 4932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી અને 25 અડધી સદી ફટકારી છે.
હાલ રહાણે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે પાંચ ઈનિંગ્સમાં 52.25ની એવરેજથી 209 રન બનાવી ચુક્યો છે. તેની સ્ટ્રાઈક રેટ 199.04 છે. રહાણેને આ ઈનિંગ્સનો પસંદગીમાં ફાયદો મળ્યો છે તેવું ક્રિકેટ નિષ્ણાતો માની રહ્યા છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવનું ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનનો પણ લાભ રહાણેને મળ્યો.
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
— BCCI (@BCCI) April 25, 2023
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત(વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ન જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ
તાજેતાજો ઘાણવો
- અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત
- ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠાએ મારી બાજી
- આતંકી મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો, મસૂદે કહ્યું- હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત
- ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા
- રાજકોટમાં ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)નો દબદબાભેર પ્રારંભ