Homeગામનાં ચોરેવૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ થતાં આટલા લોકોના થયા મોત, મૃતકોને 12-12 લાખની સહાય

વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ થતાં આટલા લોકોના થયા મોત, મૃતકોને 12-12 લાખની સહાય

Team Chabuk-National Desk: નવા વર્ષની શરૂઆતમાં જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે ભાગદોડ મચી જતાં 12 લોકોના મોત નિપજ્યા છે અને 14થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 3 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મૃત્યુ પામનારમાં મોટા ભાગના દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકો છે. 12 મૃતકોમાં બે મહિલા પણ છે. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું હતું છે કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ ન હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં લોકોએ જીવ ગુમાવ્યા એનાથી ખૂબ દુ:ખી છું. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવાદના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું.

વડાપ્રધાને રાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે બનાવને લઈને વાતચીત કરી છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર વળતર આપવાની જાહેરાત કરી છે.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું, ‘આ દુઃખદ અકસ્માતથી હૃદય ખૂબ જ દુઃખી છે. મેં રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાત કરી છે. ઘાયલોને સારવાર આપવા માટે વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. હું અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

રાહુલ ગાંધીએ પણ માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું કે, ‘માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments