Team Chabuk-International Desk: 2021ના શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ચૂકી છે. નોબેલ કમિટીએ આ વખતે આ સન્માન માટે બે પત્રકારોને પસંદ કર્યા છે. જેમાં એક પત્રકાર રેપ્લર મીડિયા ગ્રુપની સંસ્થાપક અમેરિકી પત્રકાર મારિયા રેસા છે અને બીજા નંબર પર રશિયાના પત્રકાર દિમિત્રી મુરાતોવ છે. નોબેલ કમિટીએ કહ્યું છે કે, આ બંનેને અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, કારણ કે બોલવાની સ્વતંત્રતા જ લોકતંત્ર અને સ્થાયી શાંતિની પહેલી શર્ત છે.
મારિયા રેસા
ફિલીપાઈન્સ સાથે સંબંધ ધરાવતી મારિયા રેસા અમેરિકાની પત્રકાર છે. તે રેસા ન્યૂઝ સાઈટ રેપ્લરની સહ સંસ્થાપક છે. તેમને ફિલીપાઈન્સમાં સત્તાની તાકતનો ખોટી રીતે ઉપયોગ, હિંસા અને સરમુખ્તારશાહીના વધી રહેલા ખતરા વિરૂદ્ધ બુંગિયો ફૂંકવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે. નોબલ કમિટીએ અભિવ્યક્તિની તેમની ભૂમિકાની પ્રશંસા કરતા આ સન્માનના હકદાર ગણાવ્યા છે.
દિમિત્રી મુરાતોવ
આ સિવાય રશિયાના દમિત્રી મુરાતોવને પણ નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેઓ રશિયાના સ્વતંત્ર અખબાર નોવાઝા ગજેટાના સહ સંસ્થાપક છે અને ગત 24 વર્ષથી અખબારના મુખ્ય તંત્રી પણ છે. રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું તાનાશાહી રાજ હોવા છતાં મુરાતોવેએ પોતાના અખબાર દ્વારા સરકારની યોજનાઓની આલોચના કરી હતી. નોબલ કમિટીએ કહ્યું કે, મુરાતોવ કેટલાય દાયકાઓથી રશિયામાં અભિવ્યક્તિની આઝાદી માટે રક્ષા કરી રહ્યા છે.
નોબેલ કમિટીએ કહ્યું કે, આઝાદ, સ્વાયત અને તથ્ય આધારિત પત્રકારિતા સત્તાની તાકાત, જુઠાણું અને યુદ્ધના પ્રોપેગેન્ડાથી રક્ષા કરવામાં મુખ્ય છે. અભિવ્યક્તિની આઝાદી અને પ્રેસની સ્વતંત્રતા વગર દેશની વચ્ચે સૌહાર્દ અને વિશ્વ વ્યવસ્થાને સફળ બનાવવું એ ઘણું જ મુશ્કેલ થઈ જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત