Team Chabuk-National Desk: કર્ણાટકના હાવેરી જિલ્લામાં આવેલ ટંડા ગામની વેંકટપુરા નામની એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ એંસી બાળકો બીમાર પડી ગયા હતા. તેમના મધ્યાહન ભોજનમાંથી મરી ગયેલી ગરોળી મળી આવી હતી. બીમાર પડેલા એંસી વિદ્યાર્થીઓને રાનીબેન્નૂર ટાઉનની સરકારી હોસ્પિટલમાં તાબડતોડ ખસેડવામાં આવ્યા હતા.
શાળા પ્રશાસનના જણાવ્યા અનુસાર, બાળકો ઈલાજ બાદ ઠીક થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લા પ્રશાસને શાળા પ્રશાસનને લાપરવાહી દેખાડવાના આરોપસર કાર્યવાહી કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જણાવી દઈએ કે દક્ષિણમાં આ પ્રથમ વખત નથી. આ પૂર્વે તમિલનાડુની એક સરકારી શાળામાં ઈંડામાં ખદબદતા કિડા મળ્યા હતા. કિંડરગાર્ટનના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ઈંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તો હાલમાં જ ઘટેલી બીજી એક ઘટના પણ જણાવી દઈએ, મહારાષ્ટ્રના પુણેમાં એક પ્રશિક્ષણ સંસ્થાનની લગભગ 30 છોકરીઓ ક્રિસમસ ઉત્સવમાં ભોજન કર્યાં બાદ ફૂડ પોઈઝનિંગના કારણે બીમાર પડી ગઈ હતી. ભોર તાલુકામાં ઘટેલી આ ઘટનાને કારણે કેટલીય છોકરીઓને હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છોકરીઓની સ્થિતિ સ્થિર છે. તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે અને આદેશ આપી દેવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત