Team Chabuk-Political Desk: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના રાજીનામાં અંગે એક વર્ષ બાદ ખુલાસો કરતા કહ્યું કે, હાઈકમાન્ડે રાત્રે મને કીધું અને બીજે દિવસે મે રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું, મેં હાઇકમાન્ડને કારણ ન પૂછ્યું, એટલે મને કારણ ન જણાવવામાં આવ્યું. જો મેં પૂછ્યું હોત તો મને ચોક્કસ કારણ જણાવાયું હોત. હું શરૂઆતથી પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું અને હંમેશાં પાર્ટીએ જે કહ્યું છે તે કર્યું છે. પાર્ટીએ મને મુખ્ય મંત્રી બનાવ્યો તો હું બન્યો. પાર્ટીએ મને બદલવાનું નક્કી કર્યું તો હું ખુશીથી હટી પણ ગયો. એક સારા કાર્યકર તરીકે હું ક્યારેય પાર્ટી લાઇનની વિરુદ્ધ ગયો નથી.
રાજ્યમાં જોરદાર પાટીદાર આંદોલન બાદ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યું હતું. નીતિન પટેલ વિકલ્પ તરીકે લગભગ નક્કી થઈ જ ગયા હતા પણ ગુજરાતની ગાદી માટે વિજય રૂપાણીની પસંદગી થઈ હતી. 2017ની ચૂંટણી પછી વિજય રૂપાણીની જગ્યાએ નવો કોઈ ચહેરો આવશે એમ માની લેવાયું હતું. 2017નાં પરિણામો ચોંકાવનારાં આવ્યાં હતા. બેઠકોની સંખ્યા ઘટીને માત્ર બે આંકડાંમાં 99 પર આવી ભાજપની સત્તા માંડમાંડ બચી. નવા સીએમ જાહેર કરવાના બદલે ભાજપે તેમને જ બીજી વાર મુખ્યમંત્રી બનાવ્યા હતા.
રુપાણીને હાઈકમાન્ડ તરફથી સૂચના મળી કે ‘રાજીનામું આપી દેશો.’ પાંચ વર્ષ અને 35 દિવસ પછી 11 સપ્ટેમ્બર 2021ના રોજ એક જાહેર કાર્યક્રમમાંથી સીધા જ રાજ્યપાલને ત્યાં જઈએ તેમણે રાજીનામાનો પત્ર સોંપી દીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત