Team Chabuk-Political Desk: હાલમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. પાંચ વર્ષ સુધી ગાયબ રહેતાં નેતાઓ પ્રજાની વચ્ચે જઈને મત માંગી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્માના ભાજપના ઉમેદવારે મતદારોને જવાબ આપવાની જગ્યાએ ઉડાઉ જવાબ આપીને મતદારોનું જાણે અપમાન કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
થોડા મહિના પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે મતદારોને પ્રચાર દરમિયાન મનફાવે તેવો જવાબ આપ્યો છે. ભાજપમાં જોડાયેલા કોટવાલને ભાજપે ખેડબ્રહ્મા બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે હાલ તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર કરવા ગયા હતા. આ દરમિયાન ગામના લોકોએ પ્રજાલક્ષી કે વિકાસના કોઈ કામો ગામમાં કેમ થયા નથી એવો પ્રશ્ન પૂછતા કોટવાલ અકળાયા હતા.પ્રશ્ન પૂછનાર મતદારને અશ્વિન કોટવાલે કહ્યું હતું કે, હું તમને જવાબ આપવા બંધાયેલો નથી. વોટ આપવો હોય તો આપો નહીં તો કંઈ નહીં.
આમ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાનો ઘમંડ સાતમાં આસમાને પહોંચી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. આ પ્રકારનું નિવેદન જોતાં લાગી રહ્યું છે કે, અશ્વિન કોટવાલ ઘમંડમાં રાચી રહ્યા છે. મતદારોનો વિશ્વાસ જીતવાની જગ્યાએ તેઓ તેમનો ભરોસો તોડી રહ્યા છે. મતદારોને રિઝવવાની જગ્યાએ મતદારોથી વિમુખ થઈ રહ્યા છે. આ પ્રકારનું નિવેદન અશ્વિન કોટવાલ અને ભાજપ માટે શરમજનક છે. ત્યારે મતદારો મતદાન વખતે શું જવાબ આપે છે તે જોવું રહ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
