Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. પીએમ મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ રાત્રિ રોકાણ માટે રાજ ભવન જવાના હતા પરંતુ તેની જગ્યાએ તેઓ સીધા અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ લોકો સાથે 25 મિનિટ સુધી વાત કરી હતી.
પીએમ મોદી સૌરાષ્ટ્રમાં સભા સંબોધ્યા બાદ ઓચિંતાની બેઠક માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી અને સીઆર પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે પીએમ મોદીના આગમન પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મોટા નેતાઓ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે ભાજપના આ તમામ મોટા નેતાઓ સાથે પીએમ મોદી ચૂંટણીની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જોકે, થોડા સમય બાદ બેઠક પૂર્ણ થતા પીએમ મોદી રાત્રિ રોકાણ માટે રાજ ભવન જવા માટે રવાના થયા. ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરે પીએમ મોદી 3 સભા સંબધોવાના છે. વડાપ્રધાન સુરેન્દ્રનગર, નવસારી અને જંબુસરમાં જનસભાને સંબોધશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત