Team Chabuk-Special Desk: શ્રાવણના સોમવારનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે, શ્રાવણ મહિનો અને સોમવાર બંને જ ભગવાન શિવજીને સમર્પિત છે. આ વર્ષે અધિકમાસ હોવાના કારણે શ્રાવણ 2 મહિનાનો છે. તેના કારણે શ્રાવણ સોમવાર પણ 4ના બદલે 8 હશે. શ્રાવણ સોમવારનો દિવસ શિવજીને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે . હિંદી પંચાંગ અનુસાર, 17 જુલાઇ 2023ના રોજ શ્રાવણનો બીજો સોમવાર છે. સોમવારે વ્રત કરવું અને ભગવાન શિવનો પૂજા-અભિષેક કરવો અપાર સુખ-સમૃદ્ધિ અપાવશે. તેવામાં એક શુભ સંયોગ પણ બની રહ્યો છે, જેથી આ સોમવાર વધુ ખાસ છે.
શ્રાવણ સોમવાર પર સોમવતી અમાસનો યોગ: શ્રાવણનો બીજો સોમવાર 17 જુલાઇ અમાસ છે. શ્રાવણની અમાસ સોમવારના દિવસે હોવી ખૂબ જ શુભ છે. સોમવારે અમાસ હોવાના કારણે તેને સોમવતી અમાવસ્ય કહેવામાં આવે છે. જો શ્રાવણ સોમવારના દિવસે એક ઉપાય કરી લેવામાં આવે તો મહાદેવ મહેરબાન થઇ જાય છે .

શ્રાવણ સોમવાર પર કરો આ ઉપાય
ભગવાન શિવનો સંબંધ ચંદ્રમા સાથે છે અને ચંદ્રનો સંબંધ સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ખાંડ, ચોખા વગેરે સાથે છે. ભગવાન શિવે ચંદ્રમાને પોતાના માથા પર ધારણ કર્યા છે. જો શ્રાવણ સોમવારના દિવસે શિવલિંગ પર કેટલીક ખાસ સફેદ વસ્તુઓનો અભિષેક કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. શિવજી તમામ મનોકામનાઓ પૂરી કરે છે.
દૂધ: ભગવાન શિવને કાચા દૂધથી અભિષેક કરો. આમ કરવાથી ઘરના ઝગડા-કંકાસ દૂર થાય છે. પરિવારમાં શાંતિ જળવાઇ રહે છે. વર્ક પ્લેસ પર સ્થિતિઓ પક્ષમાં રહે છે. તણાવ દૂર થાય છે.
માખણ: શ્રાવણ સોમવારે શિવલિંગ પર માખણનો અભિષેક કરવો અદ્ભૂત લાભ આપે છે. જે દંપત્તિઓને સંતાન સુખ નથી પ્રાપ્ત થતું, તેમને સંતાન સુખ મળે છે. સંતાન પ્રાપ્તિમાં આવતી બાધાઓ દૂર થશે.
દહીં: શ્રાવણ સોમવારના દિવસે ભગવાન શિવને દહીંથી અભિષેક કરો. તેનાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. અધૂરા કામ પૂરા થશે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.
ખાંડ: શ્રાવણ સોમવારના દિવસે શિવલિંગ પર ખાંડ અર્પિત કરો. આ ઉપાય કરવાથી બુદ્ધિમત્તા, યાદશક્તિ વધે છે. સાથે જ જીવનમાં મધુરતા આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
