Team Chabuk-Political Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ ગઈકાલે 19 ઓક્ટોબરના રોજ જૂનાગઢ અને રાજકોટમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. જો કે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની સભાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. જે દ્રશ્યો જોતાં લાગી રહ્યું છે કે, ભાજપ સંગઠન ભીડ ભેગી કરવામાં વામણું સાબિત થયું છે. કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન જ ખુરશીઓ ખાલી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાયેલી જાહેર સભામાં કુલ પાંચ વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્યા હતા. દરેક સભાની જેમ સભામાં જનમેદની એકઠી કરવા માટે સરકારી એસટી બસનો પણ સહારો લેવામાં આવ્યો હતો. જેમાં આસપાસના ગામડાઓમાંથી અને રાજકોટ શહેરમાંથી લોકોને સભા સ્થળે લાવવા આ એસટી બસો મૂકવામાં આવી હતી. જો કે વડાપ્રધાનની સભામાં જેટલી ધારણા હતી તે પ્રમાણે લોકો એકઠાં થયા ન હતા. જેનો બોલતો પુરાવો આ એક વીડિયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ ખુરશીઓ ખાલી દેખાઈ રહી છે. સભા સ્થળે કુલ પાંચ ડોમ ઉભા કરવામાં આવ્યા હતા જેમાંથી વડાપ્રધાનના ભાષણ દરમિયાન બે ડોમ સાવ ખાલી નજરે પડી રહ્યા હતા.
19-10-2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ ખાતેની સભાનું દ્રશ્ય, વડાપ્રધાનનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે પાંચ ડોમમાંથી બે ડોમ ખાલીખમ નજરે પડી રહ્યા છે.#NarendraModi #RAJKOT pic.twitter.com/83OP8ywgG5
— thechabuk (@thechabuk) October 20, 2022
ઘણા લોકો તો વડાપ્રધાનનું ભાષણ શરૂ થયું તે પહેલાં જ બહાર નીકળી ગયા હતા. ચૂંટણી પહેલાં ભાજપ સંગઠન માટે આ દ્રશ્યો મનોમંથન કરવા લાયક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ભીડ ભેગી કરવામાં ભાજપ સંગઠન નબળું પુરવાર થયું હોય તેવો ગણગણાટ પણ શરૂ થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
