Homeગામનાં ચોરેઆમિર ખાનની નવી જાહેરાતથી હિંદુઓની લાગણી દુભાઈ : અનંત હેગડે

આમિર ખાનની નવી જાહેરાતથી હિંદુઓની લાગણી દુભાઈ : અનંત હેગડે

Team Chabuk-National Desk: બોલિવુડ અભિનેતા આમિર ખાનની એક જાહેરાત પર ભાજપે આપત્તિ વ્યક્ત કરી છે. આમિર ખાન CEAT ટાયરની એક જાહેરખબરમાં લોકોને રસ્તા પર ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે. જેના પર ભાજપના સાંસદ અનંત હેગડેએ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના સાંસદે આમિર ખાનની જાહેર ખબર પર નિશાનો સાધતા કહ્યું કે, આ પ્રકારનો સંદેશો પાઠવનારી કંપનીઓને નમાજના નામ પર રસ્તાઓ જામ કરવા અને અજાન દરમિયાન મસ્જિદોમાંથી નીકળનારા અવાજો સંબંધિત સમસ્યાનું સમાધાન પણ કરવું જોઈએ. CEAT કંપનીના સીઈઓ અનંત વર્ધન ગોયનકાને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ હિંદુઓને નારાજ કરનારી વર્તમાન જાહેરખબર પર ધ્યાન આપે.

અનંત હેગડેએ પત્રમાં લખ્યું છે કે, તમારી કંપનીની હમણાંની જાહેરખબર, જેમાં આમિર ખાન લોકોને રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની સલાહ આપી રહ્યા છે. એક ખૂબ સારો સંદેશ આપી રહ્યો છે. સાર્વજનિક મુદ્દાઓ પર આપની ચિંતા માટે આપની સરાહના કરવાની જરૂર છે. હું તમને માર્ગોમાં આવનારી વધુ એક અડચણ અંગે સમાધાન કરવા અનુરોધ કરું છું. પ્રત્યેક શુક્રવાર અને અન્ય મહત્વપૂર્ણ તહેવારોના દિવસે નમાજના નામ પર મુસ્લિમો દ્વારા માર્ગો જામ કરી દેવામાં આવે છે.

હેગડેએ 14 ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં વધુમાં કહ્યું હતું કે, ભારતીય શહેરોમાં એક ખૂબ જ સામાન્ય નજારો છે. જ્યાં મુસ્લિમો વ્યસ્ત રસ્તાઓને જામ કરી દે છે અને નમાજ અદા કરે છે. એ સમયે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે. તેનાથી પણ નુકસાન થાય છે.

અનંત હેગડે લખે છે, આજકાલ હિંદુ વિરોધી અભિનેતાઓનો એક સમૂહ હંમેશાં હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. જ્યારે કે તેઓ કોઈ દિવસ પોતાના સમયના ખોટા કામોને ઉજાગર કરવાની કોશિશ નથી કરતા. જેથી હું આપને આ વિશેષ ઘટના પર ધ્યાન દેવાનું કહું છું. આપની કંપનીની જાહેરાતે હિંદુઓમાં નારાજગી પેદા કરી છે. હેગડેએ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ગોયનકાની કંપની હિંદુ ભાવનાઓનું સમ્માન કરશે અને તેની કોઈ પણ રીતે લાગણી નહીં દુભાવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments