Team Chabuk-Entertainment Desk: જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ (nitin desai) મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી છે. તેમના મેનેજરે જણાવ્યું કે, તેણે રાત્રે 3.30 વાગ્યે મુંબઈ નજીક કર્જતમાં તેમના એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી છે. તેમની ઉંમર 58 વર્ષની હતી. તે પોતાનો મોટાભાગનો સમય આ સ્ટુડિયોમાં જ પસાર કરતા હતા.
નીતિન દેસાઈએ હમ દિલ દે ચૂકે સનમ, લગાન, દેવદાસ, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો માટે સેટ ડિઝાઇન કર્યા હતા. તેમને ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. છેલ્લી વાર તેમણે પાણીપત ફિલ્મ માટે કામ કર્યું હતું. મહારાષ્ટ્રના વિધાનસભ્ય મહેશ બાલ્ડીએ જણાવ્યું કે, તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ તેની આત્મહત્યાનું કારણ હોઈ શકે છે.

નીતિન દેસાઈએ પોતાના કરિયરની શરૂઆત 1987માં ટીવી શો ‘તમસ’થી કરી હતી. તે એક જ સેટ પર 13 દિવસ અને 13 રાત રોકાયા હતા. આમિર ખાનની ફિલ્મ ‘મંગલ પાંડે- ધ રાઇઝિંગ’નું સૌથી પહેલા એનડી સ્ટુડિયોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને રિતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યા હતા. વોન્ટેડ, બોડીગાર્ડ, પ્રેમ રતન ધન પાયો, કિક જેવી સલમાન ખાનની દરેક મોટી ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. નીતિન દેસાઈએ કહ્યું હતું કે, સલમાનને પ્રકૃતિની નજીક રહીને શૂટિંગ કરવાનું પસંદ છે, તેથી જ તેણે આ સ્ટુડિયો પસંદ કર્યો છે. તે ‘પ્રેમ રતન ધન પાયો’ માટે 90 દિવસ સુધી સેટ પર રહ્યા હતા.
મહત્વનું છે કે, મુંબઈ નજીક કર્જતમાં વર્ષ 2003માં નીતિન દેસાઈએ એનડી સ્ટૂડિયોની સ્થાપના કરી હતી. આ સ્ટૂડિયો 52 એકરમાં ફેલાયેલો છે. આ સ્ટૂડિયોમાં ભારતનો પ્રથમ થીમ પાર્ક પણ બન્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
