Team Chabuk-International Desk: કઝાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન લેન્ડિંગ વખતે ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં 67 લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં 5 ક્રુ મેમ્બર પણ હતા. રશિયન સમાચાર એજન્સીએ કહ્યું કે વિમાનનું સંચાલન અઝરબૈજાન એરલાઈન્સ દ્વારા થઈ રહ્યું હતું અને આ પ્લેન રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની માટે ઉડાન ભરી રહ્યું હતું. પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસના કારણે તેનો માર્ગ બદલવામાં આવ્યો હતો. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે તરત કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

કઝાકિસ્તાનના અક્તો શહેર પાસે એક મોટી દુર્ઘટના ઘટી જ્યાં એક યાત્રી વિમાન ક્રેશ થયું છે. એવું કહેવાય છે કે આ વિમાનમાં 67 લોકો સવાર હતા. જેમાં 42 લોકોના મોત થયા છે અને 25 લોકો જીવ બચાવવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઈમરજન્સી સર્વિસીસ દુર્ઘટનાસ્થળે આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. વિમાન ક્રેશ થયાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે.
BREAKING: Passenger plane crashes near Aktau Airport in Kazakhstan pic.twitter.com/M2DtYe6nZU
— BNO News (@BNONews) December 25, 2024
Kazakhstan government clarifies plane which crashed was carrying 67 people, including 5 crew members.
— BNO News (@BNONews) December 25, 2024
At least 25 survivors have been found so far. Fate of 42 others still unclear. https://t.co/JYnPIowQuV
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન ઝડપથી જમીન તરફ આવી રહ્યું છે અને ગણતરીની પળોમાં અકસ્માતનો ભોગ બને છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ધડાકાનો અવાજ આવે છે. ત્યારબાદ આગ અને ધૂમાડાના ગોટા હવામાં જોવા મળી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત