Team Chabuk-Gujarat Desk: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરૂવારે ભીષણ દુર્ઘટના ઘટી હતી. છ માળની ફેક્ટરી જોત જોતામાં આગની લપેટોમાં આવી જતાં કુલ 52 લોકોનાં કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે આશરે 30 લોકો ઘાયલ થયા હતા. જીવ બચાવવ માટે લોકો ઈમારત ઉપરથી કૂદી પડ્યા હતા. ફેક્ટરીમાંથી બચીને આવેલા લોકોએ અંદરની પરિસ્થિતિથી અવગત કરતાં જણાવ્યું હતું કે, અંદર ફસાયેલા લોકોનું બચવું મુશ્કેલ લાગી રહ્યું છે.
સ્થાનિક પોલીસ દ્વારા આ ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું કે, સાંજના પાંચ વાગ્યે રુપગંજ વિસ્તારમાં આવેલ ફુડ એન્ડ બેવરેજ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગ પર શુક્રવાર બપોર સુધી કાબુ નથી મેળવી શકાયો.
ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 25 લોકોને રેસક્યુ કરવામાં આવ્યા છે. કેટલા લોકોના આ ગોઝારી દુર્ઘટનામાં જીવ ગયા છે તે અત્યારે કહેવું થોડું વહેલું લાગશે. આગ પર કાબુ મેળવ્યા બાદ ફેક્ટરીની અંદર ઓપરેશન ચલાવવામાં આવશે. જે પછી મૃતકનો સાચો આંકડો સામે આવી શકે છે.
એક મજૂરે કહ્યું હતું કે, આગ લાગી ત્યારે ત્યાં ગણી ન શકાય એટલા મજૂરો હાજર હતા તો અન્ય એક પ્રત્યક્ષદર્શી મજૂરે પોતાની આપવિતી જણાવતા કહ્યું હતું કે, ત્રીજા માળમાં જ્યારે આગ લાગી ત્યારે સીડીઓ પર લાગેલા બંને દરવાજાઓ બંધ હતા.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ફાયર સેફ્ટીનાં નિયમોને ન માનવામાં આવતા આગ લાગવાની દુર્ઘટનાઓ છાશવારે બનતી રહી છે. અગાઉ પણ એક ઈમારતમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં 76 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. બાંગ્લાદેશના લોકો પણ અને તંત્ર પણ આવી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ ન લેતું હોવાથી આવી કરુણાંતિકા સર્જાયા કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત