Team Chabuk-National Desk: રાજસ્થાનના અલવર જિલ્લામાં એક દલિત યુવકને કેટલાક લોકોએ મંદિરમાં નાક ઘસવા માટે પ્રતાડિત કર્યો હતો તથા તેની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે બુધવારના રોજ જણાવ્યું હતું કે દલિત યુવક પર આરોપ છે કે તેણે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની આલોચના સંબંધી પોતાની એક ટીપ્પણીના જવાબમાં હિંદુ દેવી-દેવતાઓને લઈ કથિત રીતે અપમાનજનક કોમેન્ટ કરી હતી, જેને લઈ કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરી હતી અને તેની પાસે માફી મંગાવતા મંદિરમાં નાક ઘસવા માટે મજબૂર કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થયો છે.
#TheKashmirFiles की हर जगह चर्चा है। अब राजस्थान के अलवर जिले में एक दलित युवक ने फिल्म की सोशल मीडिया पर आलोचना की तो कुछ दबंगों ने मंदिर की जमीन पर उसकी नाक रगड़वा दी और उससे माफी मंगवाई। पुलिस ने मामला दर्ज कर जांच शुरु कर दी है।#KashmirFiles #Rajasthan #NewsTakCard pic.twitter.com/ZQVEVug5cj
— News Tak (@newstakofficial) March 23, 2022
પોલીસે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ સંબંધિત ધારાઓ હેઠળ મંગળવારની રાત્રે અગિયાર લોકોની વિરુદ્ધ પ્રાથમિક રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો જેમાંથી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
બહરોડ પોલીસ સ્ટેશનના સર્કલ ઓફિસર રાવ આનંદે જણાવ્યું હતું કે પીડિત રાજેશ કુમારે બે ત્રણ દિવસ પહેલા ફેસબુક પર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની આલોચના કરી હતી. તેણે ફિલ્મને લઈ એક પોસ્ટ લખી હતી, જેમાં આલોચનાત્મક ટીપ્પણીઓ કરવામાં આવી હતી. ફિલ્મ પરની પોસ્ટમાં યુવકે સવાલ કર્યો હતો કે શું અત્યાચાર ફક્ત પંડિતોની સાથે થયો છે, દલિતોની સાથે નહીં? ગરીબો પર રોજ અત્યાચાર થઈ રહ્યા છે અને તેની સુરક્ષાના નામ પર કંઈ નથી થઈ રહ્યું.
1.राजस्थान कांग्रेस सरकार में दलितों व आदिवासियों पर अत्याचार की घटनाओं में बेतहाशा वृद्धि हुई है। हाल ही में डीडवाना व धोलपुर में दलित युवतियों के साथ बलात्कार व अलवर में दलित युवक की ट्रैक्टर से कुचलकर हत्या व जोधपुर के पाली में दलित युवक की हत्या ने दलित समाज को झकझोर दिया है।
— Mayawati (@Mayawati) March 23, 2022
ફિલ્મની પોસ્ટમાં કેટલાક લોકોએ જય શ્રીરામ અને જય શ્રી કૃષ્ણ લખ્યું હતું. આ કોમેન્ટ પર તેણે કથિત રીતે દેવતાઓ પર કેટલીક અપમાનજક ટીપ્પણીઓ કરી હતી. જોકે તેણે બાદમાં રામ અને કૃષ્ણ પર ટીપ્પણી કરવા માટે સોશિયલ મીડિયા પર માફી માગી પરંતુ કેટલાક સ્થાનિક લોકોએ તેને એક મંદિરમાં માફી માગવા માટે મજબૂર કર્યો. તેને મંદિર લઈ જવામાં આવ્યો અને તેણે માફી માગી.
અધિકારીએ વધુમાં કહ્યું કે, ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ તેને મંદિરમાં નાક ઘસવાનું કહ્યું હતું અને તેણે જેવું કહેવામાં આવ્યું તેવું કર્યું હતું. હાલ અગિયાર લોકો વિરુદ્ધ કેસ ફાઈલ છે જેમાંથી સાત લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરવામાં આવી છે તેમાં અજય કુમાર શર્મા, સંજીત કુમાર હેમંત, પરવિંદર કુમાર, રામાવતાર સિંહ, નીતિન જાંગિડ અને દયારામનો સમાવેશ થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત