Team Chabuk-Political Desk: ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગીર સોમનાથ જિલ્લાના ઉનાની મુલાકાતે હતા. જ્યાં તેમણે ઉનામાં સિનેમાનું ઉદઘાટન કરી જંગીસભાને સંબોધન કર્યું હતું. પાટીલે ભાષણ દરમિયાન કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસને નિશાને લેતા કહ્યું હતું કે હવે વિકાસ નહી કોગ્રેસ ગાંડી થયેલ છે. સોનીયા ગાંધીનુ રીમોટ તૂટયું છે. 27 વર્ષથી કોગ્રેસને ગુજરાતમાંથી જાકારો મળ્યો છે. અને આ વખતે પણ જનતા કોંગ્રેસને જાકારો આપશે. કોગેસનો કુંવર જ્યા જાય છે ત્યા હારે છે.
આપના રેવડી કલ્ચર પર પણ ફરી પ્રહાર કરતાં કહ્યું હતું કે AAP તમારા મોબાઇલમાં ગેરંટી આપે છે, મોદી જે કહે છે તે કરે છે અને કર્યુ પણ છે. ગુજરાતમાં સત્તા મેળવવા આપ પાર્ટી જનતાને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતમાં પાંચ લાખ સરકારી કર્મચારી તેમજ અધિકારીઓ છે. આપવાળા કહે છે કે હું 10 લાખ લોકોને નોકરી આપીશ.બધી ભરાયેલી છે તો 10 લાખને નોકરી કેવી રીતે આપશે તે મોટો સવાલ છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ