Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારીક ક્ષેત્રમાં વૃદ્ધિ કરી છે. તેમને પશ્ચિમ બંગાળ, અસમ અને પંજાબની બોર્ડરથી પચાસ કિલોમીટરની અંદરના કાર્યક્ષેત્રમાં ધરપકડ, તલાશી અને જપ્ત કરવાની શક્તિઓ આપી છે. પહેલા આ ત્રણે રાજ્યોમાં બીએસએફ 15 કિલોમીટર સુધી સિમિત હતું. હવે તેને વધારીને 50 કિલોમીટર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફથી આ અંતર્ગત નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
પંજાબ, બંગાળ અને અસમમાં બીએસએફના ક્ષેત્રાધિકારને વધારવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતમાં તેને ઓછું કરી દેવામાં આવ્યું છે. ઓછું એટલે કે એંસી કિલોમીટરથી ઘટાડીને 50 કિલોમીટર કરવામાં આવ્યું છે. રાજસ્થાન બીએસએફનું કાર્યક્ષેત્ર પચાસ કિલોમીટર જ રાખવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પૂર્વોત્તરમાં મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર જેવા રાજ્યો માટે આવું કોઈ કાર્યક્ષેત્ર પરિભાષિત કરવામાં આવ્યું નથી.
BSF અધિનિયમ, 1968ના સેક્શન 139 હેઠળ કેન્દ્ર સરકારને કાર્યક્ષેત્ર નક્કી કરવાની શક્તિ પ્રદાન કરે છે. સોમવારના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં શેડ્યુલને સંશોધિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જુલાઈ, 2014માં જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં BSFનું ક્ષેત્ર અધિકાર પરિભાષિત હતું.
બીજી બાજુ કોંગ્રેસ શાસિત પંજાબ અને તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળની સરકાર, ગૃહ મંત્રાલયના આ પગલાને પોતાના અધિકારો પર અતિક્રમણ બતાવી વિરોધ વ્યક્ત કરી શકે છે. પંજાબ તરફથી તો આપત્તિ વ્યક્ત કરવામાં પણ આવી ચૂકી છે. પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના નેતા સુનીલ જાખડે પોતાની જ પાર્ટીના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર આંગળી ઉઠાવી છે.
Be careful what you ask for ! Has @CHARANJITCHANNI unwittingly managed to handover half of Punjab to Central govt. 25000sq km (out of total 50,000sq km) has now been placed under BSF jurisdiction. Punjab Police stands castigated. Do we still want more autonomy to States ? https://t.co/JlGB7G0Pnj
— Sunil Jakhar (@sunilkjakhar) October 13, 2021
તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે, મુખ્યમંત્રી ચન્નીએ અડધું પંજાબ કેન્દ્રના હવાલે કરી દીધું છે. તેમણે સીએમ ચન્નીના એક જૂના ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું છે કે, ‘પોતાની વાતને લઈ સાવધાન રહેવું જોઈએ. ચરણજીત ચન્નીએ અજાણતા પંજાબનો અડધો ભાગ કેન્દ્ર સરકારને સોંપી દીધો છે. કુલ 50,000 વર્ગ કિલોમીટરમાંથી 25,000 વર્ગ કિલોમીટર હવે બીએસએફના ક્ષેત્ર અધિકારમાં હશે. પંજાબ પોલીસ ઉભી છે. શું આપણે હજુ રાજ્યો માટે અધિક સ્વાયતતા ઈચ્છીએ છીએ.’
I strongly condemn the GoI's unilateral decision to give additional powers to BSF within 50 KM belt running along the international borders, which is a direct attack on the federalism. I urge the Union Home Minister @AmitShah to immediately rollback this irrational decision.
— Charanjit S Channi (@CHARANJITCHANNI) October 13, 2021
આ વચ્ચે મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તેમણે ટ્વીટર મારફતે કેન્દ્ર સરકારના નિર્ણયની આલોચના કરતા કહ્યું કે, ‘હું ભારત સરકારના એક તરફી નિર્ણયનો કડક વિરોધ કરું છું. આ સંઘવાદ પર સીધો હુમલો છે. મારી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને અપીલ છે કે આ નિર્ણયને તુરંત પરત લે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત